________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
વચનામૃત
૧.
ગુપ્ત અને પ્રગટ એ અવસ્થાભેદ છે, “બંને અવસ્થામાં સ્વરૂપ જેવું ને તેવું છે”. એવો શ્રદ્ધાભાવ સુખનું મૂળ છે. તારો નાથ નિજજ્ઞાનમહિમાને છૂપાવીને બેઠો છે. તેને તું પિછાણ. આ ગુસજ્ઞાન થયું, એટલે તારો નાથ છૂપાયેલો રહેશે નહિ. મારું જ્ઞાન એ જ હું છું, પર-વિકાર પર છે. જ્યાં જ્યાં જાણપણું છે ત્યાં ત્યાં ‘હું' એવો દેઢભાવ તે સમ્યકત્વ છે. નરભાવ તો સદા કાંઈ રહે નહિ. સાક્ષાત્ મોક્ષસાધનરૂપ જ્ઞાનકલા આ ભવ વિના અન્ય જગ્યાએ ઊપજતી નથી. તેથી વારંવાર કહેવામાં આવે છે કેનિજબોધકલાના બલ વડે નિજસ્વરૂપમાં રહો. નિરંતર આ જ યત્ન કરો. શરીર જડ અનંતા છોડ્યા પણ દર્શનશાન સદાય સાથે રહ્યા કરે, વળી અત્યારે પણ દેખનાર-જાણનાર આ મારો ઉપયોગ તે જ મારું સ્વરૂપ છે. તેવી રીતે ઉપયોગી-અનુપયોગીને વિચારતાં જડ-ચેતનની પ્રતીતિ થાય. અનાદિના અજ્ઞાનથી જ્ઞાન ગુણ થયું છે. શુદ્ધ-અશુદ્ધ બંને દશામાં જ્ઞાન શાશ્વત શક્તિને ધારે છે. ચિદ્ધિકારભાવ ક્રોધાદિરૂપ થતાં થાય છે, તે જ ભાવને મટાડી પોતે નિર્વિકાર સહજભાવને, પોતાનામાં આચરણવિશ્રામસ્થિરતાના પરિણામ કરી કરો. ચિદાનંદ પોતાને ભૂલ્યો છે, પરમાં પોતાને જાણ્યો છે. પોતે પોતાની ભૂલ મટાડો. સદા ઉપયોગધારી આનંદરૂપ પોતે સ્વય
૫.
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com