________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
મેવ જ યત્નવિના (સહજ) બન્યો છે તેથી નિજને નિહાળવાનું જ કાર્ય છે.
નિજની શ્રદ્ધા આવતાં નિજ અવલોકન થાય છે. ૮. કોઈ કહેશે કે આજના સમયમાં નિજ સ્વરૂપની પ્રાપ્તિ કઠણ છે, તેમ કહેનાર
સ્વરૂપ પામવાની ચાહ મટાડનાર બહિરાત્મા છે. અવિઘારૂપ જડની અલ્પશક્તિથી તારી મહાન શક્તિ ન હણાય જાય. પરંતુ
તારી શુદ્ધ શક્તિ પણ મહાન, તારી અશુદ્ધશક્તિ પણ મહાન. ૧૦. દેખો! દેખો! ત્રણ લોકનો નાથ ભૂલી નીચ એવા પરને આધીન થયો.
પોતાની નિધિ ન પિછાણી, ભિખારી બની ફરે છે. નિધિ ચેતના છે, તે પોતે
જ છે, દૂર નથી, દેખવું દુર્લભ છે. દેખે તો સુલભ છે. ૧૧. સમ્યકત્વ વિનાનો શુભોપયોગ સંસારસુખ આપે, દેવ૫દ આપે કે રાજપદ
આપે. ત્યાં દેવગુરુશાસ્ત્રનું નિમિત્ત હોય તેને લાભ થવો હોય તો થાય, નહિ તો ન થાય. કાર્યને કારણ નિયમ વગર છે, એવી રીતિ જાણવી.
-અનુભવપ્રકાશ
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com