SearchBrowseAboutContactDonate
Page Preview
Page 28
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૪ અનુભવ પ્રકાશ પ્રકાશ-પરિણામ વડે પ્રકાશે, જ્યાંથી પરિણામ ઊઠ્યા તેમાં પરિણામ લગાડે. (પણ) જ્ઞાનને રોકે તેવા પરિણામ ન કરે. પરિણામ તરંગ ચેતના અંતરંગ અભંગ અંગમાં લીન થયા કરે. અમરપુરી નિવાસ નિજબોધના વિકાસથી છે. નિશ્ચય, નિશ્ચલ, અમલ, અનુલ અખંડિત, અમિતતેજ, અનંતગુણરત્નમંડિત, બ્રહ્માંડને ઓળખી બ્રહ્મપદને પૂર્ણ પરમચૈતન્ય જ્યોતિ સ્વરૂપ, અરૂપ, અનૂપ રૈલોકયભૂપ પરમાત્મારૂપ પદને પામી પાવન થઈ રહે, તે અનુભવનો મહિમા છે. યથાર્થજ્ઞાન, પરમાર્થનિધાન, નિજકલ્યાણ, શિવસ્થાનરૂપ ભગવાન, અમલાન, સુખવાન, નિર્વાણનિધિ, નિરુપાધિ, નિજસમાધિ, ને સાધીએ, આરાધીએ, અલખ. અજ, આનંદ, મહાગુણવૃન્દધારી, અવિકારી, સર્વદુઃખહારી, બાધારહિત, મહિત, સુરસ, રસસહિત, નિરંશી, કર્મનો વિધ્વંસી, ભવ્યનો આધાર, ભવપારનો કરનાર, જગતનો સાર, દુર્નિવાર દુઃખને ચૂરે (છે ) ભવના તાપરૂપ પુણ્ય-પાપને મટાડીને સ્વપદને પૂરે (છે). આત્મપદને ઓળખાવી ચિદાનંદને દર્શાવી દે (છે). સદા સુખકંદ, નિરજંદ ઓળખાવે (છે), અવિનાશી પદને પામે (છે), લોકાલોકને ઝળકાવે (છે), ફરી ભવમાં ન આવે, (જેના) સર્વ વેદ ગુણ ગાય તેને ક્યાં સુધી દર્શાવીએ? વચનગોચર ન આવે. (એવું) એ પરમ તત્ત્વ છે, અતત્ત્વથી અતીત જેમાં વિપરીત કરણી નથી, ભવદુઃખની ભરણી, હિતરણી અનુસરણી (હિતના નાશને અનુસરનારી ), (એવી કરણી) અનાદિથી જ ૨. પાઠાન્તર- “પરિણામ ફરિ પ્રણાશે” દરશન જ્ઞાન શુદ્ધ ચારિત કૌ એક પદ, મેરો હૈ સરૂપ ચિહ્ન ચેતના અનંત હૈ, અચલ અખંડ જ્ઞાનજ્યોતિ હૈ ઉદ્યોત જામેં, પરમ વિશુદ્ધ સબ ભાવમેં મત હૈ. આનંદકો ધામ અવિરામ જાકૌ આઠો જામ, અનુભવે મોક્ષ કહે દેવ ભગવન્ત હૈ, શિવપદ પાયનેકો ઔર ભાંતિ સિદ્ધિ નહિ, યાતેં અનુભવ નિજ મોક્ષ તિયાન્ત હૈ. ૪૫. (જ્ઞાન દર્પણ) Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
SR No.008207
Book TitleAnubhav Prakash
Original Sutra AuthorN/A
AuthorDipchand Shah Kasliwal
PublisherVitrag Sat Sahitya Trust Bhavnagar
Publication Year
Total Pages96
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, Religion, & Sermon
File Size691 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy