________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
અનુભવ પ્રકાશ
૧૩ હું-હું પરિણામોએ સ્વપદની આસ્તિક્યતા કરી સ્વપદપરિણામ યોગ્ય સ્થાન વિના હોય નહિ. કાયચેષ્ટા છે ત્યાં નથી, વચનઉચ્ચારણા છે ત્યાં નથી, મન ચિંતવન છે ત્યાં નથી. આત્મપદમાં પોતાની મન્નતા, સ્વરૂપવિશ્રામ, આનંદરૂપ પદમાં સ્થિરતા, ચિદાનંદ, ચિત્પરિણતિનો વિવેક કરવો.
ચિત્પરિણતિ ચિમાં રમ્ય, આત્માનંદ ઊપજે. મન દ્વારા વિવેક થયા પછી મન પણ બાજુએ (દૂર) રહે. મન પર છે, જ્ઞાન નિજ વસ્તુ છે. એવી રીતે વિચારતાં તે (મન) દૂર રહે છે. શાથી? કે પરમાત્મપદ ગુપ્ત છે. તેની મન વ્યક્ત ભાવના કરી ના શકે. શાથી? કે પરમાત્મભાવના કરતાં કરતાં પરમાત્મપદ નજીક આવે ત્યારે પરમાત્માના તેજથી મન પહેલેથી જ મરી ફીટે છે. શાથી? કે શૌર્યવાનના તેજથી કાયર સંગ્રામ વિના જ (લડાઈ કર્યા વિના જ) મરે, સૂર્યના તેજથી અંધકાર પહેલેથી જ નાશ થઈ જાય, તેમ (અહીં) જાણવું.
ચિદાનંદની ભાવનાથી (ચિદાનંદને ભાવવાથી) ચિત્પરિણતિ શુદ્ધ થાય છે. ચિત્પરિણતિ શુદ્ધ થયે ચિદાનંદ શુદ્ધ થાય છે. અનાત્મપરિણામ મટાડી આત્મપરિણામ કરવા એ જ કૃતકૃત્યપણું છે. યોગીશ્વર પણ એટલું કરે છે. પ્રાણાયામ, ધ્યાન, ધારણા, સમાધિ એના નિમિત્ત છે. સ્વરૂપપરિણામમાં અનંત સુખ થયું. નિજપદનું આસ્તિક્ય થયું. અનુપમપદમાં લીનતા થઈ. એક સ્વરસ થયો શુદ્ધ ઉપયોગ થયો. સહજપદનો અનુભવ થયો. આત્મપરિણામનો (નિજ પરિણામનો) અપાર મહિમા છે. પરમેશ્વર સ્વપરિણામને કર્યા વિના પરપરિણામથી ગોથા ખાય છે. પોતાના પરિણામ સ્વરૂપાનંદી થયે પરમેશ્વર કહેવાયો. આવો પ્રભાવ આત્મજ્ઞાનના પરિણામનો છે. પરિણમનથી અવિનાશી પદનો અપૂર્વ લાભ થયો. તે પરિણામ સ્વરૂપમાં કેવી રીતે લાગે તે કહેવામાં આવે છે.
પરથી પરાગમુખ થઈ વારંવાર સ્વપદને અવલોકવાના ભાવ કરે. દર્શનશાન ચારિત્ર ચેતનાનો પ્રકાશ યથા યોગ્ય (યથા સ્થાન રૂપ) કરી કરીને સ્વરૂપ પરિણતિ કરે. આત્મજ્યોતિ અનાત્માથી ભિન્ન અખંડ પ્રકાશ-આનંદ ચેતના સ્વરૂપ ચિઢિલાસનો અનુભવ
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com