SearchBrowseAboutContactDonate
Page Preview
Page 64
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates અલિંગગ્રહણ ગાથા ૧૭૨] | [ ૫૭ કહેતા નથી, તે આત્મા જ નથી. જે આત્મતત્ત્વ તરફ વળે છે તે જ ઉપયોગ છે ને તે જ ' આત્મા છે. આત્મામાં પર પદાર્થો તથા પુણ્યપાપનો અભાવ છે માટે ઉપયોગ પુણ્ય-પાપ તથા પર પદાર્થોમાંથી લાવી શકાતો નથી. (૯) જ્ઞાન-ઉપયોગ હરણ થઈ શકતો નથી. નવમા બોલમાં કહ્યું હતું કે સ્વસમ્મુખ રહીને જે કામ કરે તે ઉપયોગ છે. જ્ઞાન આત્માનું છે માટે તેને કોઈ બીજી ચીજ હરણ કરે તેમ બની શકે નહિ. બીજી ચીજનો આત્મામાં અભાવ છે માટે જ્ઞાન હરી શકાતું નથી. એવા ઉપયોગ લક્ષણવાળો તારો આત્મા છે એમ તું જાણ. (૧૦) જ્ઞાન ઉપયોગમાં મલિનતા નથી. દશમા બોલમાં કહ્યું હતું કે જ્ઞાન ઉપયોગમાં મલિનતા નથી. જે ઉપયોગ સ્વસમ્મુખ વળે ને આત્મામાં એકાકાર થાય તેને ઉપયોગ કર્યું છે. જેનો ઉપયોગ છે તે તો જ્ઞાન, દર્શન, ચારિત્ર વગેરે અનંતગુણોનો પિંડ છે. જ્ઞાન આત્માનું છે છતાં તે જ્ઞાન જ પુણ્ય-પાપનું કામ કરે તો તેને જ્ઞાન કહેતા જ નથી એમ હે શિષ્ય! તું જાણ. જ્ઞાન-ઉપયોગ તારી તરફ વળે તે તારી ચીજ કહેવાય પણ પુણ્ય-પાપ તરફ વળે તે તારી ચીજ કહેવાય નહિ. સ્વ તરફ વળવું તે ધર્મનું કામ છે ને પર તરફ વળવું તે અધર્મનું કામ છે. સૂર્યને મલિનતા નથી તેમ અહીં શુદ્ધોપયોગમાં મલિનતા નથી. (૧૧) જ્ઞાન-ઉપયોગ કર્મને ગ્રહતો નથી. અગિયારમાં બોલમાં કહ્યું કે ઉપયોગ પોતાનો છે તે પરને કેમ ગ્રહણ કરે ? અથવા પરને ગ્રહણ કરવામાં નિમિત્ત પણ કેમ થાય ?-ન જ થાય. પર તરફ વલણ કરી કર્મ થવામાં જે નિમિત્ત થાય તે સ્વનો ઉપયોગ જ નથી પણ જે શ્રદ્ધા, જ્ઞાન, સ્થિરતાનું કામ કરે તે Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
SR No.008206
Book TitleAlinggrahan Pravachan
Original Sutra AuthorKundkundacharya
AuthorKanjiswami
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year1973
Total Pages99
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, Religion, & Sermon
File Size442 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy