SearchBrowseAboutContactDonate
Page Preview
Page 63
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates પ૬] [ પ્રવચનસાર પ્રવચનો કર્મને ગ્રહતો નથી–તેવા તારા સ્વયને જેમ છે તેમ તું જાણે એમ આચાર્ય ભગવાન આદેશ આપે છે. આ પ્રમાણે જ્ઞય જેમ છે તેમ યથાર્થ જાણવું તે સમ્યગ્દર્શન ને સમ્યજ્ઞાનનું કારણ છે, ને તેથી ધર્મ અને શાંતિ થાય છે. * * * * (માહ વદ ૭ બુધવાર) આ આત્મા છે તેનો જ ઉપયોગ અર્થાત્ જ્ઞાનનો વ્યાપાર છે તેમાં પૌગલિક કર્મનું ગ્રહવું નથી. સ્વસમ્મુખ ઉપયોગને અહીં ઉપયોગ કહે છે. પર સન્મુખ દષ્ટિ કરે તેને પુણ્ય-પાપના પરિણામ થાય છે. પુણ્ય-પાપના પરિણામ તે આત્મા નથી પણ આસ્રવ છે-વિકાર છે, તે આત્માનો સ્વભાવ નથી. આત્મા ઉપયોગલક્ષણ દ્વારા કર્મને ગ્રહતો નથી. જે સ્વસમ્મુખતા છોડતો નથી તેને ઉપયોગ કહે છે. (૭) જ્ઞાન ઉપયોગને પરનું આલંબન નથી. સાતમાં બોલમાં કહ્યું હતું કે જ્ઞાનઉપયોગને શેયોનું આલંબન નથી. ઉપયોગને સ્વય આત્મપદાર્થનું અવલંબન છે. સ્વમાં પરશયોનો અભાવ છે. જેમાં જેનો અભાવ છે તેનું આલંબન હોઈ શકે નહિ. માટે આત્માને તે શેયોનું આલંબન નથી. સ્વનું આલંબન કરે તેને ઉપયોગ કહે છે ને જે જ્ઞાન પર પદાર્થનું આલંબન ત્યે તેને ઉપયોગ કહેતા નથી. (૮) જ્ઞાન ઉપયોગ બહારથી લવાતો નથી. આઠમા બોલમાં કહ્યું હતું કે ઉપયોગ પર પદાર્થમાંથી લાવી શકાતો નથી. પર પદાર્થ તરફ વળેલા ઉપયોગને ઉપયોગ જ Please inform us of any errors on [email protected]
SR No.008206
Book TitleAlinggrahan Pravachan
Original Sutra AuthorKundkundacharya
AuthorKanjiswami
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year1973
Total Pages99
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, Religion, & Sermon
File Size442 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy