________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
[ પ૭] તે પર્યાયમાં તન્મય છે, તેમનાથી અનન્ય છે–જાદુ નથી. જેમ શરીર જાદુ છે, કર્મ જુદું છે, તેમ આ ગતિની પર્યાય તે તે કાળે દ્રવ્યથી જાદી છે એમ નથી, પણ દ્રવ્ય પર્યાયમાં અનન્ય-તન્મય છે. હવે આવો ઉપદેશ કોઈ દિ' સાંભળ્યો ન હોય બિચારાએ ત્યાં તેને વિચારવાનો તો અવસર જ ક્યાંથી મળે? રળવું-કમાવું અને બાયડી-છોકરાં સાચવવા આડે નવરાશ મળે તો ને? પણ ભાઈ ! એ તો બધું એકલું (નિર્ભેળ ) પાપ છે. ભગવાન ! જો આ ન સમજ્યો તો પાપના પોટલાનો ભાર બાંધીને તું કયાંય ભવસમુદ્રમાં ડૂબી જઈશ!
અહાહા..અહીં કહે છે કે શુદ્ધ એક દ્રવ્યને જેણે જોયું છે તેને પર્યાયને જોવાનું જ્ઞાન ઉઘડ્યું છે અર્થાત્ સ્વ-સ્વરૂપને જાણતાં તેને પર્યાયોને જાણવાનું જ્ઞાન ઉઘડયું છે, અને તેથી તે જાણે છે કે આ વિશેષ-પર્યાય મારામાં છે, પણ બીજી કોઈ ચીજ મારામાં નથી વા હું એમાં નથી. આ દીકરો મારો, પત્ની મારી, પૈસા મારા, બંગલા મારા ઇત્યાદિ બધી ( મિથ્યા, જુઠી) વાતો છે, કેમકે એમાં હું તન્મય નથી વા એ ચીજ મારી પર્યાયમાં તન્મય નથી. જે આમ છે તો પછી અન્ય વસ્તુને
Please inform us of any errors on rajesh@AtmaDharma.com