________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
[ પ૬ ] એમ કહ્યું છે. મનુષ્યપણું આદિ એટલે આ શરીર નહિ પણ અંદર ગતિની યોગ્યતારૂપ અવસ્થાવિશેષ; તેમાં તે તે કાળે જીવ તન્મય છે. જેમ અગ્નિ જેવાં લાકડાં કે પાંદડાં હોય તેવા આકારે થાય છે અર્થાત્ તેનાથી (દાહ્યાકારથી) તન્મય થઈ જાય છે, તેનાથી જુદી રહે છે એમ નથી તેમ આત્મા પાંચમાંથી (ચાર ગતિ અને સિદ્ધ અવસ્થા) જે જે પર્યાયને પામે છે તેમાં તે તે કાળે તન્મય છે.
તો એક ઠેકાણે એમ પણ કહ્યું છે કે-ખૂણ આદિપણે અગ્નિ પરિણમી નથી તેમ જે ગતિ આદિની પર્યાયપણે પરિણમ્યો છે તે પર છે, આત્મા નહિ. આ કેવી રીતે છે?
સમાધાન - ભાઈ એ દ્રવ્યદષ્ટિની અપેક્ષાએ વાત છે. પણ દ્રવ્યદૃષ્ટિવંતને પર્યાયનું જ્ઞાન થવા કાળે તેની પર્યાયમાં શું છે તેનું અહીં જ્ઞાન કરાવ્યું છે. આ પ્રવચનસાર જ્ઞાનપ્રધાન ગ્રંથ છે.
જેમ અગ્નિ તે તે કાળે લાકડાં, છાણાં, અડાયાં, પાંદડાં ઇત્યાદિના આકારે પર્યાયમાં તન્મય છે તેમ દ્રવ્ય તે તે પર્યાયરૂપ વિશેષોના કાળે, તે તે સમયે તે–મય, તે તે પર્યાયમય હોવાને લીધે તે
Please inform us of any errors on rajesh@AtmaDharma.com