________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
[ ૩૨ ]
કહે છે–વિષયોને અને ૫૨ચીજ દેવ-ગુરુ આદિને જોવાનું તો દૂર રહો, સિદ્ધ આદિ પર્યાયને જોવાની આંખ પણ બંધ કરી દઈને ઉઘાડેલા દ્રવ્યાર્થિક ચક્ષુ વડે જ્યારે અવલોકવામાં આવે છે ત્યારે નારકપણું આદિ પર્યાવિશેષોમાં રહેલા એક જીવસામાન્યને અવલોકનારા અને વિશેષોને નહિ અવલોકનારા એ જીવોને ‘તે બધુંય જીવદ્રવ્ય છે' એમ ભાસે છે. અહાહા...! પર્યાયાર્થિક ચક્ષુ બંધ કરી દઈને દ્રવ્યાર્થિકનયના ચક્ષુ વડે અવલોકનારાઓને તે બધુંય જીવદ્રવ્ય છે એમ ભાસે છે. એટલે શું? એટલે કે એમાં પર્યાયવિશેષો-ભેદો ભાસતા નથી, પણ એ વિશેષોમાં રહેલું જીવદ્રવ્ય-ભગવાન આત્મા અનંતઅનંત-અનંત પૂરણ શક્તિઓનો સાગર અખંડ એકરૂપ પ્રભુ છે તે ભાસે છે. લ્યો, આ ભાષા લાગે સાધારણ પણ એનો ભાવ ભારે ગંભીર-ઊંડો છે! અહાહા...! આ પ્રવચનસાર, નિયમસાર, સમયસારની શી વાત કરવી! ભરતક્ષેત્રમાં આવી વાત બીજે કય ય છે નહિ. અને આ રીતે અંદર પુરુષાર્થ કરે એને વસ્તુ પ્રાપ્ત થયા વિના રહે નહિ. અહીં કીધું ને કે ‘તે બધુંય જીવદ્રવ્ય છે એમ ભાસે છે’ભાસે
Please inform us of any errors on rajesh@AtmaDharma.com