________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૪૬૬
અધ્યાત્મ વૈભવ નિજપરિણતિને અંદર બોળી–બોળીને ધર્મામૃતને પીએ છે. આ સિવાય બીજી બધી વાત તો થોથાં છે.
(૮-પર૫) (૧૩૧૮) અહાહા...! આત્મા સ્વયંજ્યોતિ સુખધામ પ્રભુ સ્વસ્વરૂપના પ્રકાશથી શોભાયમાન ચૈતન્યપ્રકાશનું પૂર છે. “ચૈતન્ય-અમૃત પૂર-પૂર્ણ-મહિમા' એમ કહ્યું છે ને? અહા! આવો મહિમાવંત પદાર્થ પ્રભુ આત્મા છે. અહા ! આવો પોતે છે એમ અજ્ઞાનીને કેમ બેસે? પરંતુ ભાઈ ! પરમાત્માને પરમ અમૃતદશા-કેવળજ્ઞાનની દશા જે પ્રગટ થઈ એ ક્યાંથી આવી? શું બહારથી આવી? ના; અંદર પોતાની ચીજ જ એવી છે તેમાં એકાગ્ર થતાં દશાવાનની દશા આવી છે. અહા ! સંતો કહે છે-ભગવાન! તું એવો છો, સદા અંદર ભગવાન સ્વરૂપ જ છો. અહા ! આવા પોતાના સ્વરૂપમાં લીન થતાં દરિયામાં ભરતી આવે તેમ, એની પર્યાયમાં નિર્મળ ચૈતન્ય ઊછળે છે. આનંદની ભરતી આવે છે. લ્યો, આને ભગવાન ધર્મ કહે છે. સમજાણું કાંઈ...?
(૮-પ૨૭) (૧૩૧૯) હા, પણ ભગવાનના ગુણનું સ્મરણ કરે તો ગુણનો લાભ થાય. આવે છે ને કે “વત્વે તાધિયે' ?
એ તો બધાં નિમિત્તનાં કથન છે ભાઈ ! અરે! પોતાનો જે આત્મા છે તેના દ્રવ્ય-ગુણપર્યાયના વિચાર કરે તોય ત્યાં વિકલ્પ-રાગ ઊઠે છે તો પછી ભગવાનના ગુણનું સ્મરણ કરે તો ગુણપ્રાપ્તિ ક્યાંથી થાય? એનાથીય શુભરાગ જ ઊઠે. અરે ભાઈ ! ધર્માત્માનેય જે વ્યવહારરત્નત્રય છે એય શુભરાગ જ છે, ધર્મ નથી. (એને વ્યવહારથી ધર્મ કહીએ એ બીજી વાત છે).
અહાહા..! ત્રિકાળી ધ્રુવ એક સામાન્ય-સામાન્ય-સામાન્ય ચૈતન્યમૂર્તિ પ્રભુ આત્મામાં અભેદદષ્ટિ કરતાં એને સમ્યગ્દર્શન અને સમ્યજ્ઞાન પ્રગટ થાય છે; અને એ ધર્મ છે. પરંતુ ભગવાનની ભક્તિ અને ભેદ ઉપર દષ્ટિ રાખતાં તો રાગ જ થાય છે, એનાથી ધર્મ થાય એમ તો છે જ નહિ.
(૯-૨૨૭) (૧૩૨૦) ચાર પ્રકારે ધર્મ કહ્યો છે ને! દાન, શીલ, તપ, બ્રહ્મચર્ય-એમ ચાર પ્રકાર ધર્મના કહ્યા છે ને ?
હા, કહ્યા છે, પણ તે આ પ્રમાણે હોં; –
પોતાના ત્રિકાળી શુદ્ધ એક જ્ઞાયક ભગવાનની દૃષ્ટિ કરવાથી જે નિર્મળ પર્યાય પ્રગટ થાય તે પર્યાયનું પોતાને દાન દેવું તે વાસ્તવિક દાન છે અને તે ધર્મ છે અને તેનો પોતે જ કર્તા છે.
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com