SearchBrowseAboutContactDonate
Page Preview
Page 262
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૨૫૦ અધ્યાત્મ વૈભવ વીજળી થાય કે તરત જ સોય પરોવી લે, જરાય પ્રમાદ ન કરે. તેમ ચૈતન્યમાં સમ્યજ્ઞાનરૂપી દોરો પરોવવા ચૈતન્યની એકાગ્રતાનો ઉગ્ર પુરુષાર્થ વિવેકી પુરુષો કરતા હોય છે. (૮-૪૧૬) (૬૯૦) ૧. શુદ્ધજ્ઞાનસ્વરૂપ જે આત્મા છે તેનું શુદ્ધ જ્ઞાન-પુણ્ય-પાપ આદિ ભાવને કરતું નથી અને વેદતું નથી. ૨. આમાં શુદ્ધજ્ઞાનપરિણત જીવદ્રવ્ય લીધું છે. પરથી અને રાગથી ભિન્ન શુદ્ધ જ્ઞાનઘન પ્રભુ આત્માનું જેને નિર્મળ શ્રદ્ધાન થયું છે તે શુદ્ધજ્ઞાન પરિણત જીવ છે અને તે રાગનો કર્તા કે ભોક્તા નથી. છદ્મસ્થ છે એટલે તેને રાગ આવે પણ તેનો તે અકારક અને અવેદક જ છે. ૩. જ્ઞાયિકજ્ઞાન-કેવળજ્ઞાન જેમને પ્રગટ થયું છે એવા જે કેવળી પરમાત્મા છે તે રાગરહિત પૂરણ વીતરાગ છે, તેથી તેઓ પણ કર્મોના અકારક અને અવેદક છે. તેમને બહારમાં શરીરની દશા નગ્ન હોય છે અને આહાર-પાણી હોતાં નથી. અહા ! આવા કેવળી ભગવાન રાગને કરતા નથી તેમ જ વેદનાય નથી. આમ ત્રણ વાત કર્યા પછી ફરીથી સાધક જીવની વાત કરે છે. શું? કે શુદ્ધજ્ઞાનપરિણત જીવ શું કરે છે? કે જાણે છે કોને? બંધ-મોક્ષને માત્ર બંધ-મોક્ષને; નહિ, શુભ-અશુભ કર્મોદયને તથા સવિપાક-અવિપાકરૂપે ને સકામ-અકામરૂપે બે પ્રકારની નિર્જરાને પણ જાણે છે. અહીં! ચોથા, પાંચમા અને છઠ્ઠી ગુણસ્થાનવાળો જીવ છે તે રાગરૂપી ભાવબંધને જાણે અને રાગનો અભાવ થાય, મોક્ષ થાય તેને પણ જાણે છે. શુભાશુભ કર્મોદયને અને પ્રતિસમય થવાવાળી સવિપાક-અવિપાકરૂપ ને સકામ-અકામરૂપ નિર્જરાને પણ તે જાણે છે. તે એના કરવાપણે કે વેદવાપણે રહેતો નથી પણ માત્ર જ્ઞાતાપણે જ રહે છે. આવી બધી અલૌકિક વાતો છે. (૯-૧૦૨) (૬૯૧) જેમ આંખ પદાર્થોને માત્ર દેખે છે, તેને પોતામાં ગ્રહતી નથી તેમ આત્માની આંખ અર્થાત્ શુદ્ધજ્ઞાનપરિણતિ પણ રાગ-દ્વેષને, પુણ્ય-પાપને કરતી-ભોગવતી નથી, તેને ગ્રહતી નથી, તેનાથી જુદી જ વર્તે છે. જો અગ્નિને કરવા-ભોગવવા જાય તો આંખ અગ્નિરૂપ થઈ જાય અર્થાત્ બળી જાય; તેમ જ્ઞાનચક્ષુ જો રાગાદિને કરવા-ભોગવવા જાય તો તે રાગાદિરૂપ થઈ જાય અર્થાત્ એની શાંતિ બળી જાય. પણ નિર્મળ જ્ઞાનપરિણતિ રાગાદિ ભાવોને સ્પર્શતી જ નથી, તેને કરતી કે વેદતી જ નથી. જ્ઞાન-પરિણતિનો આવો સહજ સ્વભાવ જ છે. શુદ્ધ જ્ઞાનપરિણતિ આત્મા શુદ્ધ ઉપાદાનપણે જ્ઞાનને કરે છે, પણ રાગાદિને કે કર્મોને કરતો નથી, ભોગવતો નથી. તેને માત્ર જાણે જ છે. Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
SR No.008203
Book TitleAdhyatma Vaibhav1
Original Sutra AuthorN/A
AuthorRajkumar Jain
PublisherKanjiswami Smarak Trust Devlali
Publication Year1989
Total Pages492
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, Religion, & Sermon
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy