SearchBrowseAboutContactDonate
Page Preview
Page 146
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૩૪ અધ્યાત્મ વૈભવ (૩૭૯) જેમ બીજ ઊગે એના તેર દિવસ પછી પૂનમ થાય છે તેમ સમ્યગ્દર્શનરૂપી બીજ જેને ઊગે છે તેને અલ્પકાળમાં મુક્તિ થાય જ છે. સમ્યગ્દર્શન પછી ભેદજ્ઞાનના બળે આનંદમાં લીન રહેવું, આનંદનું ભોજન કરવું, પ્રચુર આનંદને અનુભવવો તે ચારિત્રો છે. આનંદનું પ્રચુર સ્વસવેદન એ ચારિત્રની મહેર-મુદ્રા છે. આવા ચારિત્ર પૂર્વક જીવની મુક્તિ થાય છે. અહીં કહે છે-એ સર્વ ભેદજ્ઞાનનો મહિમા છે. વિના ભેદજ્ઞાન ચારિત્ર તો શું સમ્યગ્દર્શનેય (ચોથું ગુણસ્થાનેય ) સંભવિત નથી. સમજાણું કાંઈ...? (૮-૪૦૪) (૩૮૦) અહાહા....! ભગવાન આત્મા અંદરમાં ચિમૂર્તિ પ્રભુ આનંદ-અમૃતનો સાગર છે. એમાં જે રાગની વૃત્તિ ઊઠે તે ઝેર છે. અહા ! એ ઝેર ને અમૃતની વચ્ચે તીક્ષ્ણ પ્રજ્ઞાછીણી નાખતાં બંને જુદાં પડી જાય છે અને ત્યારે તે (-પ્રજ્ઞા) જ્ઞાન-અમૃતનું પાન કરે છે એનું નામ ભેદજ્ઞાન, સમ્યજ્ઞાન અને ધર્મ છે. અહો ! મોક્ષનું મૂળ આ ભેદવિજ્ઞાન જ છે. રાગને રાગપર જાણીને રાગથી જુદું રહેનારું અને આનંદ-અમૃતનું પાન કરનારું જ્ઞાન મોક્ષ પામે છે. ભાઈ ! જન્મ-મરણનો અંત લાવવાનો આ ભેદજ્ઞાન જ એક ઉપાય છે. બાકી બધાં (વ્રત, તપ આદિ વિકલ્પો) થોથેથોથાં છે. સમજાણું કાંઈ.... ? ભેદજ્ઞાનને એક ન્યાયે વિકલ્પ પણ કહે છે. એ બે વચ્ચે હોય છે ને? એનું લક્ષ રહે છે ત્યાં સુધી વિકલ્પ રહે છે. રાગ અને આત્મા બેને ભિન્ન જાણવા એમ આવ્યું ને? તેથી જ્યાં સુધી બેનું લક્ષ છે ત્યાં સુધી સૂક્ષ્મ વિકલ્પ છે. પણ અંદરમાં જ્ઞાયકમાં –એકમાં જાય છે તો ભેદવિજ્ઞાનનું નિર્વિકલ્પ પરિણમન થઈ જાય છે. અહીં આ ગાથામાં પ્રજ્ઞાછીણી શબ્દ સ્વાનુભવ-જ્ઞાન સમજવું, માત્ર વિકલ્પ નહિ. અરે! એને આ સમજવાની ક્યાં ગરજ છે? અરેરે! પ્રભુ! તું કોણ છો? આ સમજ્યા વિના અંદર ત્રણલોકનો નાથ તું ક્યાં જઈશ એનો વિચાર છે તને? અહીં સહેજ પણ પ્રતિકૂળતા ગોઠતી નથી તો મિથ્યાત્વના ફળમાં ભવિષ્ય અનંતી પ્રતિકૂળતા આવશે તેને કેમ સહન કરીશ? અહા! ધર્મસ્થાનકમાં પણ તને પંખા જોઈએ! થોડી પ્રતિકૂળતાને અવગણીને તું ધર્મશ્રવણના કાળમાં ચિત્તને એકાગ્ર ન કરે તો તું ક્યાં જઈશ પ્રભુ? અહા ! જગતને ખબર નથી; જગત આંધળે-આંધળું છે, પણ બાપુ ! પરચીજ અનુકૂળ-પ્રતિકૂળ છે એવા ભાવમાં તું અનંતકાળ સંસારમાં રખડીશ. અહા ! એવા ભાવનું ફળ એવું જ છે ત્યાં શું થાય? (૮-૪૧૪). (૩૮૧) જુઓ, આ સ્વભાવનો પુરુષાર્થ અને ભેદજ્ઞાનનો ઉપાય! Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
SR No.008203
Book TitleAdhyatma Vaibhav1
Original Sutra AuthorN/A
AuthorRajkumar Jain
PublisherKanjiswami Smarak Trust Devlali
Publication Year1989
Total Pages492
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, Religion, & Sermon
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy