________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
રહસ્યપૂર્ણ ચિઠ્ઠી : ૭૩ ગુણસ્થાને તે શીધ્ર શીધ્ર થવાનું કહ્યું; આ રીતે ગુણસ્થાન-અનુસાર માત્ર કાળના અંતરની જ અનુભવમાં વિશેષતા છે કે બીજી કોઈ વિશેષતા છે? તો કહે છે કે પરિણામોની લીનતામાં પણ વિશેષતા છે. સ્વાનુભવની જાત તો બધા ગુણસ્થાનોમાં એક છે, ચૈતન્યસ્વભાવમાં જ બધાયનો ઉપયોગ લાગેલો છે પણ તેમાં પરિણામની મન્નતા ગુણસ્થાન અનુસાર વધતી જાય છે. સાતમા ગુણસ્થાને સ્વાનુભવમાં જેવી લીનતા છે તેવી તીવ્ર લીનતા ચોથા ગુણસ્થાને નથી; એ રીતે નિર્વિકલ્પતા બંનેને હોવા છતાં પરિણામની મગ્નતામાં વિશેષતા છે. જેમ કોઈ બે પુરુષો સમાન ક્રિયા કરતા હોય, –ભગવાનનું નામ લેતા હોય, સ્નાન કરતા હોય કે ભોજનાદિ કરતા હોય-બંનેના પરિણામ તેમાં લાગેલા હોય છતાં પરિણામની એકાગ્રતામાં બંનેને ફેર હોય છે; કોઈના પરિણામ તેમાં મંદપણે લાગેલા હોય ને કોઈના તીવ્રપણે લાગેલા હોય; ત્યાં બંનેનો ઉપયોગ તો એક જ કાર્યમાં લાગેલો છે પણ એકના પરિણામ તે કાર્યમાં મંદપણે વર્તે છે ને બીજાના પરિણામ તેમાં તીવ્રપણે વર્તે છે, તેમ ચોથા ગુણસ્થાને નિર્વિકલ્પતા હોય ને સાતમાં ગુણસ્થાને નિર્વિકલ્પતા હોય-ત્યાં તે બંનેનો ઉપયોગ તો આત્માને વિષે અનુભવમાં જ લાગેલો છે, પરંતુ ચોથા કરતાં સાતમાં ગુણસ્થાને સ્વરૂપમાં પરિણામની મન્નતા ઘણી છે; અંદર અબુદ્ધિપૂર્વક રાગ ઘણો મંદ છે. ચોથા ગુણસ્થાને સ્વાનુભવ વખતે પણ અંદર અબુદ્ધિપૂર્વક (ભલે મંદ) ત્રણ કષાયચોકડી વિધમાન છે, અને સાતમા ગુણસ્થાને માત્ર એક સંજવલન કષાયચોકડી જ બાકી છે. સ્વાનુભવમાં પરિણામોની લીનતા જેમ જેમ વધતી જાય છે તેમ તેમ કષાયોનો અભાવ થતો જાય છે.
આ પ્રકારે સ્વાનુભવની ગુણસ્થાનઅનુસાર વિશેષતા જાણવી. જેમ જેમ ગુણસ્થાન વધતું જાય તેમ તેમ કપાયો ઘટતા જાય ને સ્વરૂપમાં લીનતા વધતી જાય. ધર્મીને ગુણસ્થાન અનુસાર જેટલી શુદ્ધિ થઈને જેટલી વીતરાગતા થઈ તેટલી શુદ્ધિ ને વીતરાગતા તો પર તરફના ઉપયોગ વખતે પણ ટકી રહે છે ને તેટલું તો બંધન તેને થતું જ નથી. ચોથા ગુણસ્થાને નિર્વિકલ્પ ધ્યાનમાં હોય તો પણ ત્યાં અનંતાનુબંધી સિવાયના ત્રણે કષાયનું અસ્તિત્વ છે, ને છઠ્ઠા ગુણસ્થાને શુભવિકલ્પમાં વર્તતા હોય તો પણ ત્યાં અપ્રત્યાખ્યાનાવરણ કે પ્રત્યાખ્યાનાવરણ કષાય નથી, માત્ર સંજ્વલન કષાય છે, એટલે સ્વાનુભૂતિમાં ન હોય તેથી તેને બીજા કરતાં વધુ કષાયો હોય-એમ નથી. પણ, એટલું ખરું કે એક જ ભૂમિકાવાળો જીવ તે સવિકલ્પદશામાં હોય તેના કરતાં નિર્વિકલ્પદશા વખતે તેને કષાયો ઘણા જ મંદ થઈ જાય છે.
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk