________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
રહસ્યપૂર્ણ ચિઠ્ઠી : ૫૭ ગુણસ્થાન ન હોય, છઠ્ઠ ગુણસ્થાન જેને હોય તેને વસ્ત્રગ્રહણ ન હોય. આ પ્રમાણે હેતુના વિચારથી જ્ઞાન કરવું તે તર્ક છે.
હેતુથી જે જાણું તે અનુસાર સાધ્યવસ્તુનું જ્ઞાન કરવું, એટલે કે સાધ્ય-સાધનનો તર્ક લાગુ પાડીને સાધ્યવસ્તુને ઓળખી લેવી તેને અનુમાન કહેવાય છે. જેમકે અહીં અગ્નિ છે કેમકે ધૂમાડો દેખાય છે; અહીં તીર્થંકર ભગવાન બિરાજે છે કેમકે સમવસરણ દેખાય છે; આ જીવને છઠું ગુણસ્થાન કે મુનિપણું નથી કેમકે તેને વસ્ત્રગ્રહણ છે. આ પ્રમાણે મતિજ્ઞાનથી અનુમાન થઈ જાય છે. આ અનુમાન એ કાંઈ સંશયવાળું નથી હોતું પણ ચોક્કસરૂપ હોય છે.
આ ઉપરાંત આગમઅનુસાર જે જ્ઞાન થાય તેને આગમજ્ઞાન કહેવાય છે. એ શ્રુતજ્ઞાનનો પ્રકાર છે. આ સ્મૃતિ વગેરે પાંચ પ્રકાર પરોક્ષજ્ઞાનના છે.
આ પાંચ જ્ઞાન-પ્રત્યક્ષ કે પરોક્ષ તે બધાય-પોતાથી જ થાય છે, કાંઈ પરથી જ્ઞાન થતું નથી. પરોક્ષજ્ઞાન પણ કાંઈ ઈન્દ્રિય કે મનને લીધે થતું નથી. જાણનારસ્વભાવી આત્મા પોતાના સ્વભાવથી જ તેવી અવસ્થારૂપે પરિણમે છે. જેમ ગળપણસ્વભાવી ગોળ કદી ગળપણ વગરનો હોય નહિ ને તેનું ગળપણ પરમાંથી આવે નહિ, તેમ જ્ઞાનસ્વભાવી આત્મા કદી જ્ઞાન વગરનો હોય નહિ ને તેનું જ્ઞાન પરમાંથી આવે નહિ. જ્ઞાનમાં પર જણાય, પણ જ્ઞાન કાંઈ પરમાં જઈને જાણતું નથી તેમજ પરમાંથી જ્ઞાન આવતું નથી.
આવી સ્વતંત્રતા સમજવા ઉપરાંત અહીં તો અંદરની સ્વાનુભવ વખતની સૂક્ષ્મ વાત છે. સ્વાનુભવદશામાં ધર્મીને જ્ઞાનનું પ્રત્યક્ષપરોક્ષપણું કયા પ્રકારે છે તે હવે કહે છે.
ખાખરાની ખીસકોલી સાકરનો સ્વાદ કયાંથી જાણે? તેમ ઇન્દ્રિયજ્ઞાનમાં જ લુબ્ધ પ્રાણી અતીન્દ્રિય સુખના સ્વાદને કયાંથી જાણે ? જેણે જ્ઞાનને અંતરમાં વાળીને અતીન્દ્રિય વસ્તુને કદી લક્ષગત કરી નથી તેને એ અતીન્દ્રિયવસ્તુના અતીન્દ્રિયસુખની કલ્પના પણ કયાંથી આવે? જ્ઞાનીએ ચૈતન્યના અતીન્દ્રિયસુખનો અપૂર્વ સ્વાદ ચાખ્યો છે.
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk