________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૫૬ : અધ્યાત્મ-સંદેશ अपूर्व लब्धि है। उसके प्रति समाधान इस प्रकार है कि द्वादशांगज्ञान भी विकल्प है। उसमें भी ऐसा कहा है कि शुद्धात्मानुभूति मोक्षमार्ग है। इसलिये शुद्धात्मानुभूति के होनेपर शास्त्र पढनेको कुछ अटक नहीं હૈ” (જાઓ કલશ ૧૩).
બારસંગ પણ એમ જ કહે છે કે શુદ્ધાત્મામાં પ્રવેશીને જે શુદ્ધાત્માનુભૂતિ થઈ તે જ મોક્ષમાર્ગ છે જ્યાં શુદ્ધાત્માનુભૂતિ થઈ ત્યાં પછી કોઈ એવો નિયમ કે ટેક નથી કે આટલા શાસ્ત્ર જાણવા જ જોઈએ, અથવા આટલા શાસ્ત્રો જાણે તો જ મોક્ષમાર્ગ થાય; વિશેષ શાસ્ત્રજ્ઞાન હો ન હો પણ જ્યાં શુદ્ધાત્માનુભૂતિ થઈ ત્યાં મોક્ષમાર્ગ થઈ જ ગયો.
- સાધકના જ્ઞાનમાં કંઈક પરાવલંબન પણ છે, પરંતુ તેથી કાંઈ તેનું જ્ઞાન મિથ્યાજ્ઞાન નથી, તેમજ તે પરાવલંબનને જ્ઞાની મોક્ષમાર્ગ પણ માનતા નથી. શુદ્ધાત્મઅનુભૂતિરૂપ જ્ઞાન જ મોક્ષમાર્ગનું સાધન છે. બારસંગમાં પણ શુદ્ધાત્માનુભૂતિ જ કરવાનો ઉપદેશ છે, ને તેને જ જિનશાસન કહ્યું છે. જેણે શુદ્ધાત્માની અનુભૂતિ કરી તેણે બારે અંગનો સાર મેળવી લીધો, પછી અમુક શાસ્ત્રોનાં ભણતર ભણવા પડે એવો કોઈ પ્રતિબંધ તેને નથી. બારસંગનું જ્ઞાન હો તો હો, ન હો તો પણ સ્વસત્તાના અવલંબને સ્વાનુભૂતિથી જ્ઞાતા મોક્ષમાર્ગને સાધે છે. ઉદયભાવ હોય તેનું અવલંબન જ્ઞાનીને નથી; ઉદયભાવ અવસ્થાના પ્રમાણમાં છે પણ તેના અવલંબને જ્ઞાન નથી. જ્ઞાન તો સ્વાનુભવ પ્રમાણ છે. પરસત્તાવલંબનશીલ જ્ઞાન તે પરમાર્થ નથી, મોક્ષમાર્ગ નથી, સ્વાનુભૂતિરૂપ સ્વસત્તાવલંબનશીલ જ્ઞાન તે જ પરમાર્થ છે, તે જ મોક્ષમાર્ગ છે.
અહો ! સ્વાનુભૂતિનો જ મહિમા છે. એ જ ખરી વિદ્યા છે. એના સિવાય બહારની વિધા કે શાસ્ત્રભણતરની વિધા તે પણ મોક્ષની સાધક નથી. સ્વસમ્મુખ વળે તે જ વિધા મોક્ષની સાધક થાય. અરે, જ્ઞાનીનુંય પરાલંબી જ્ઞાન મોક્ષસાધક નથી, તો અજ્ઞાનીના પરાલંબીજ્ઞાનની શી વાત? પરાશ્રયભાવના ડુંગરા ખડકે તો પણ તેમાંથી મોક્ષમાર્ગ ન નીકળે. સ્વાલંબનની કણિકા જાગે તેમાંથી મોક્ષમાર્ગ નીકળે.
આ રીતે જ્ઞાની સ્વસત્તા-અવલંબનશીલ જ્ઞાનને જ મોક્ષમાર્ગ સમજે છે, ઉદયના કે બહારના જાણપણાના અવલંબે તે મોક્ષમાર્ગ માનતા નથી; એટલે ઉદયભાવથી કે બહારના જાણપણા ઉપરથી ગુણસ્થાનનું માપ નીકળતું નથી પણ અંદરની શુદ્ધતા ઉપરથી તથા સ્વસત્તાનું અવલંબન કેવું છે તે ઉપરથી ગુણસ્થાનનું માપ નીકળે છે. ચોથા ગુણસ્થાને અસંખ્યાત જીવો, સામાન્યપણે
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk