________________
સહજ માં દીનતા આપનારી વૃદ્ધાવસ્થા,જયારે મનુષ્યને પકડે છે, ત્યારે બુદ્ધિ તેને છોડી ભાગી જાય છે. નોકરો,પુત્રો,સ્ત્રીઓ,ભાઈ-ભાંડુઓ,તથા સંબંધીઓ,જેમ ગાંડા-ઘેલાની હાંસી કરે છે, તેમ તે વૃદ્ધ ની પણ (તેને ગાંડો સમજી) હાંસી કરે છે.
દીનતા-જેવા બીજા ઘણા દોષોમાં તૃષ્ણા નો ઉમેરો થાય છે.તે વૃદ્ધ ને ખાવાનું પચતું નથી,ને કફ-ઉધરસથી ડામાડોળ થયેલો હોય –પણ સારું સારું ખાવાની તૃષ્ણા વધે છે.પણ રોગોને લીધે કોઈ તેને તેવું ખાવાનું આપતું નથી,એટલે મનમાં ને મનમાં ચિડાયા કરે છે અને ઉદ્વેગો તેને ઘેરી વળે છે.
હે મુનિ,ભલે કોઈ,પર્વતની ગુફામાં ભરાઈ ગયો હોય (સન્યાસી) કે ભલે કોઈ,તેની આખી જિંદગીમાં કોઈ શત્રુ થી જીતાયો ના હોય,પણ જરા (વૃદ્ધાવસ્થા) રૂપી રાક્ષસી થી તે થોડીવારમાં જ જીતાઈ જાય છે. અને અશક્તિ,પીડા, દીનતા ને આપદાઓ થી ઘેરાઈ જાય છે.
હે ઋષિ, ઘડપણ આવ્યા છતાં પણ –“વધુ જીવવું છે” એવો દુરાગ્રહ વ્યર્થ જ છે.કારણકે-કોઈથી પણ નહિ જીતાયેલી,એ વૃદ્ધાવસ્થા,મનુષ્ય ના સઘળા મનોરથો ને ધૂળ-ધાણી કરી નાખે છે.
(૨૩) કાળ-વર્ણન
રામ બોલ્યા-આ મુદ્ર સંસારમાં મનુષ્યને,અનેક લાભો અને તુચ્છ સુખની આશા હોય છે, પણ કાળ-રૂપી (સમય-રપી) ઉદર તે આશા-રૂપી તંતુને કાતરી નાંખી તે સુખોનું નામોનિશાન રહેવા દેતો નથી. આ સર્વ-ભક્ષી કાળ,આ જગતમાં જન્મ પામેલી એક એક વસ્તુને ગળી જાય છે.
અનંત બ્રહ્માંડો ને પણ ગળી જનારો અને સર્વ જગ્યાએ વ્યાપી રહેલો –આ કાળ,વાસ્તવિક-રૂપે, અદ્રશ્ય-રૂપે હોવા છતાં, “યુગ,કલ્પ,વગેરે” (સમય નું માપ) વગેરે રૂપો થી પ્રગટતો એ (કાળ સમય) જગત અને પુરા બ્રહ્માંડને વશ કરી રહ્યો છે.
મનુષ્ય દેખાવમાં સુંદર હોય,સારાં કર્મો કરનાર હોય કે પછી મેરુ-પર્વત સમાન (મહાન) હોય, પણ તેમને તે કાળ ગળી જાય છે. નિર્દય,પથ્થર સમાન કઠિન,વાઘ જેવો ક્રૂર,કરવત જેવો કર્કશ,કંગાળ અને અધમ –એવો દેખાતો આ કાળ, જેને ગળી જતો નથી,એવી કોઈ વસ્તુ આજ સુધી થઇ નથી.
જેમ મનુષ્ય પૃથ્વી પર પગ ટેકવી ને ઉભો રહી શકે છે તેમ, આ કાળ પણ બ્રહ્મની સત્તા (કે જેમાં અનંત પ્રાણીઓ ના સંસાર નો લય થાય છે) પર સ્થિર પગે ઉભો રહ્યો છે.અને તે કોઈ રીતે કોઈનાથી બીતો નથી,તે કોઈના પર પ્રેમ કરતો નથી, તે કદી આવતો નથી કે જતો નથી,અને સેંકડો યુગો કે મહાકલ્પો વીતતાં-પણ તે અસ્ત કે ઉદય પામતો નથી. કોઈ પણ જાતની કાળજી રાખ્યા વગર,બેદરકારીથી,તે જગતમાં “ફેરફાર કરવાની રમત” રમી રહ્યો છે.
આ કાળ જેનું હરણ કરતો ન હોય,એવી તુચ્છ કે અતુચ્છ કોઈ પણ વસ્તુ નથી. સઘળા જીવો ને “ચૂર્ણ-રૂપ” કરી મૃત્યુ ના મુખમાં નાખવાનો,ક્રીડા-વિલાસ (પ્રલય કે વિસર્ગ) કરીનેતે કાળને જયારે –કશું કામ બાકી રહેતું નથી (કાર્ય પદાર્થો નો અભાવ થાય છે, ત્યારે“બ્રહ્મ-ચૈતન્ય” ના નિજ (પોતાના) સ્વરૂપમાં વિશ્રાંતિ લે છે, એટલે તે (કાળ),તેનાથી (બ્રહ્મથી) જુદો જ પ્રતીત થતો (દેખાતો) નથી.
અને આ પ્રમાણે "પ્રલય” (વિસર્ગ) માં વિશ્રાંતિ લઇ, “સૃષ્ટિ” ના સમયમાં (સૃષ્ટિ-સર્જન-કે-સર્ગ ના સમયમાં)