________________
208
તેમણે બ્રહ્માએ) "અનાત્મા" માં “આત્મા ના અભિમાન-વાળી-અવિદ્યા” (માયા) ની કલ્પના કરી.અને, પર્વત,ઘાસ અને સમુદ્ર-મય આખું જગત ક્રમે કરીને રચ્યું. આ પ્રમાણે ઉપરના ક્રમ વડે બ્રહ્મ-તત્વમાંથી આવેલી (રચાયેલી) આ સૃષ્ટિ, જાણે બીજા કોઈ સ્થળે થી આવેલી હોય તેમ જણાય છે.
પણ, જેમ તરંગ ની ઉત્પત્તિ સમુદ્રમાંથી થાય છે, તેમ કૈલોક્યની અંદર રહેનાર સર્વ પદાર્થની ઉત્પત્તિ “બ્રહ્મ” માંથી છે, અને તે બ્રહ્મ ના વિવર્ત-પણા (બિમ્બ-પ્રતિબિમ્બ-પણા) થી જગત ઉત્પન્ન થયું છે. પણ તે પરમ અર્થ (પરમાર્થ) થી ઉત્પન્ન થયું નથી.પણતેની (બ્રહ્મની) અંદર “બ્રહ્માનું મનોમય ચૈતન્ય" "અહંકાર ની ઉપાધિ"માં પ્રવેશ કરવાથી જગત ને પામે છે. જયારે જગતનો વિસ્તાર થાય છે, ત્યારે તે “શક્તિ” એ સમષ્ટિ-મનોભાવથી પ્રથમ ઉલ્લાસ પામે છે, અને ચારે બાજુ ભમતા (ફરતા) હજારો જીવો થાય છે.
આમ,તે “જીવ પ્રથમ “આકાશમાં ઉત્પન્ન થાય છે, પછી તે “માયાકાશ” માં “ભૂત-તન્માત્રા” થી વીંટાય છે. પછી,આકાશમાંના પવન ની અંદર ચૌદ જાતના લોક ની અંદર કર્મ ની વાસના વાળા જે જીવ રહ્યા છે, તે “પ્રાણ-શક્તિ” દ્વારા તે સ્થાવર અને જંગમ શરીરમાં પ્રવેશ કરે છે અને બીજ-પણાને (શુક્ર કે વીર્ય) પામે છે. ત્યાર પછી તે જીવ યોનિ દ્વારા જગતમાં ઉત્પન્ન થાય છે.અને “કાક-તાલિય-યોગ” (અકસ્માત)થી, ઉત્પન્ન થયેલા વાસનાના પ્રવાહને યોગ્ય એવા કર્મ-ફળને ભોગવે છે. ત્યાર પછી,સારા-નઠારા કે પાપ-પુણ્ય-રૂપી કર્મની દોરડી થી બંધાયેલ તે લિંગ-શરીર,ભમતાં-ભમતાં, કોઈ વાર ઉચા તો કોઈ વાર નીચા લોકમાં પડે છે.
પ્રાણીમાત્ર નો તે સમૂહ કામ-મય છે.તેમાંના કેટલાક જીવ,જેમ,વાયુથી વનનાં સુકાયેલાં પાંદડાં ભમ્યા કરે છે,તેમ,હજારો જન્મ સુધી જગતમાં આવે છે અને કર્મ-રૂપી વાયુ થી ભમ્યા કરે છે. અજ્ઞાનથી મોહ પામેલા કેટલાક જીવને ઘણા કલ્પ સુધી,પૃથ્વીમાં જન્મ-મરણ થયા કરે છે. જેવી રીતે વાયુથી ઉત્પન્ન થયેલાં સમુદ્રનાં જળનાં બિંદુઓ,સમુદ્રમાં જ લય પામે છે, તેમ,પરમ આત્મ-જ્ઞાન ને પામેલા કેટલાક જીવો,થોડાક કાળમાં પરમ મોક્ષ ને પામી જાય છે.
આ પ્રમાણે આવિર્ભાવ-અને તિરોભાવ થી યુક્ત એવી સર્વ જીવ ની ઉત્પત્તિ “બ્રહ્મ” માંથી થયેલી છે. અને આ ઉત્પત્તિ એ વાસના-રૂપી વિષ-જવર (ઝેરી તાવ) ને ધારણ કરનારી છે. અને અનેક અનર્થ તથા સંકટો ના કાર્ય ને કરનારી છે.અને તે અનેક જગ્યાઓએ કર્મ-ફળ ના ભોગ માટે સંચાર કરે છે. પણ, તેમાં ઉતમ વિચિત્રતા એ છે કે તેની ચારે બાજુ ભ્રમ રહેલો છે.
*ગ્યાઓએ કઇ સારણ કરનારી છે. માથી થયેલી છે
હે, રામચંદ્ર,આ જગત તો મોહથી,જંગલમાં ઉત્પન્ન થયેલી એક જૂની વેલ છે,અનેક વિક્ષેપ-વાળું મન તેનું શરીર છે–આ પ્રમાણે વિચાર કરીને તેં વેલને જો –“જ્ઞાન-રૂપી-કુહાડા” થી કાપી નાખવામાં આવે તોતે પાછી ઉગતી નથી.
(૯૪) બાર જાતના જીવો નું વર્ણન
વશિષ્ઠ કહે છે કે-હે, રાઘવ,ઉત્તમ,અધમ અને મધ્યમ પદાર્થ ની ઉત્પત્તિ નો વિભાગ હવે હું કહું છું. પૂર્વ-કલ્પમાં છેલ્લા જન્મ સુધી, જ્ઞાન થવાથી,શામ-દમ વગેરે સાધન-સંપત્તિ હોય,છતાં કોઈ પ્રતિબંધ ના કારણે જ્ઞાન થયું ના હોય, તેનો આ કલ્પમાં જન્મ થયા પછી તેને (આ કલ્પ- ના) પહેલા જન્મમાં શમ-દમ વગેરે સાધનથી તેને જ્ઞાનની યોગ્યતા થાય છે-તેને-“ઇદમ-પ્રથમતા” કહે છે. આ જીવ-જાતિને તે એક જ જન્મ માં મોક્ષ થાય છે.