SearchBrowseAboutContactDonate
Page Preview
Page 57
Loading...
Download File
Download File
Page Text
________________ અબ્બાય ૩ છે. ૫૩ બાધ કરતા નથી. વિધિ નિષેધ એ જેનું મનાયેલું કર્મ–ક્રિયા ચાલુ છે અને આત્મજ્ઞાનથી જે પરમાત્મ સ્વરૂપને વિચાર કરેલ નથી તેને પાપ પુણ્ય લાગે છે, જેણે પિતાના-આભ તત્ત્વ સિવાય બીજા કશાને–અન્યની–એથી બીજાની જેને સમજજ નથી, અર્થાત્ પિતામાં જળહળતા આત્મ જ્યોતિ સ્વરૂપ સિવાય જેને બધું જ અસત્ય ભાસેલું છે તેને, જગતનાં કાર્યો–અરે જગતનાં કાર્યો તો શું પણ મૃત્યુ પણ પિતાથી ભિન્ન લાગતું નથી, તેને કેણ બાધ કરે? એ તો એક અખંડ બ્રહ્મ સ્વરૂપજ છે. आत्मैवेदं जगत्सर्व क्षातं येन महात्मनः । यदृच्छया वर्तमानं तं निषेद्धं क्षमेत कः ॥१८॥ અર્થ. આ સઘળું જગત એક માત્મા રૂપ છે એમ જે મહાત્માને સમજાયેલું છે તેને પ્રારબ્ધશા વર્તમાનમાં વિધિનિષેધ લગાડવાને કોણ મર્થ છે? ટીકા. વેદમાં જે વિધિનિષેધ છે તે સંસારમાં પ્રવર્તતા પુરબને માટે છે, જ્ઞાની અને પરમહંસને માટે વદ પ્રતિપાદિત કર્યાદિ બાધ કરતાં નથી. પ્રવૃત્તિમાં જેને ચાલવાનું છે અને અવસ્થા પ્રમાણે જેને કર્મ કરવાનાં છે તેને માટે વેદના વિધિનિષેધ છે. જ્ઞાની–તત્વને માટે નથી. જેણે પોતાના આત્મામાં જ વિશ્વને માન્યું છે તેને યદ છયા ભેગાદિક મળી આવે અને તે તેનો ઉપભોગ કરતો જણાય તેપણ તે લેભાતો નથી, કારણ કે, તે પિતે ભોગ અને ભોક્તા માનતો નથી, જેને દૈતનો આભાસજ છે નહિ તેને માટે વૈદિક કર્યાદિ કંઈ છે જ નહિ. તે તો એક પરમાનંદ સ્વરૂપ છે. आब्रह्मस्तंबपर्यते, भूतग्रामे चतुर्विधे। विज्ञस्यैव हि सामर्थ्य-मिच्छा निच्छा विवर्जने ॥१९॥ અર્થ જણાથી માંડીને તૃણ પર્યંત ચાર પ્રકારના ભૂત
SR No.008124
Book TitleAshtvakra Gita
Original Sutra AuthorN/A
AuthorManilal Chhabaram Bhatt
PublisherHaribhai Dalpatram Patel
Publication Year1929
Total Pages161
LanguageHindi
ClassificationBook_Other
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy