________________
હંમેશાં આકાશ ની જેમ નિર્વિકલ્પ વિકલ્પ વગરના) જ્ઞાની ને, --સંસાર શું કે સંસાર નો આભાસ શું ?સાધ્ય શું અને સાધન શું ?
(૧૬)
તે કર્મફળ ના ત્યાગ વાળો અને પૂર્ણ આનંદ-સ્વરૂપ મહાત્મા જય પામે છે, --જેની સ્વભાવિક (અકૃત્રિમ) સમાધિ તેના પૂર્ણ સ્વરૂપ માં હોય છે.
(૧૭)
અહીં વધુ કહી ને શું ફાયદો? જેણે તત્વ ને જાણ્યું છે,તેવો મહાત્મા, --ભોગ અને મોક્ષ બંને પ્રત્યે નિસ્પૃહ (આકાંક્ષા વગરનો) અને હંમેશ બધે રસ-હીન હોય છે. (૬૮),
મહત-તત્વ થી શરુ થયેલું, આ જગત (દ્વૈત), નામ-માત્ર થી જ ઉભું થયેલું છે, --તે જગત ની કલ્પના છોડ્યા પછી,શુદ્ધ જ્ઞાન-સ્વ-રૂપ બનેલા ને શું કર્મ બાકી રહે? (૬૯)
આ બધું જગત “ભ્રમ-રૂપ” હોઈ કાંઇ જ નથી, એવા નિશ્ચયવાળો,અને બ્રહ્મ નું જેણે ફુરણ થયું છે તેવો, --શુદ્ધ પુરુષ સ્વ-ભાવ વડે જ (સ્વ-ભાવ થી જ) શાંત બની જાય છે. (૭૦)
શુદ્ધ આત્મ-સ્વ-રૂપ ના ફુરણ- રૂપ,અને દૃશ્ય-ભાવ (જગત-માયા) ને ન જોનાર ને, --વિધિ (કર્મો ની વિધિ) શું અને વૈરાગ્ય શું ?ત્યાગ શું અને શમ (નિવૃત્તિ) શું ?
(૭૧)
અનંત-રૂપે સ્કૂરતા અને પ્રકૃતિ (માયા) ને ના જોતાં યોગી ને, --બંધન શું? અને મોક્ષ શું ? હર્ષ (સુખ) શું કે વિષાદ (દુ:ખ) શું ?
(૭૨).
બુદ્ધિ પર્યત (બુદ્ધિ થી) જોતાં આ જગત માયામાત્ર જ દેખાય છે,(આવું સમજનાર) --યોગી મમતા-રહિત,અહંકાર રહિત,અને નિષ્કામ બની ને શોભે છે. (૭૩)
આત્મા ને અવિનાશી અને સંતાપ-રહિત (શોક રહિત) જોનારા મુનિ ને, --વિદ્યા શી? કે વિશ્વ શું ? દેહ શો? કે અહંતા-મમતા શી ? (૭૪)
(પણ) જો જડ-બુદ્ધિવાળો (મૂઢ-અજ્ઞાની, મનુષ્ય,ચિત્ત નિરોધ વગેરે જેવા કર્મો ત્યાગી દે, --તો તે ક્ષણથી જ તેના મનોરથો વધે છે, અને તે વાણી ના પ્રલાપો કરવાનો પ્રારંભ કરે છે. (૭૫)
મૂઢ (અજ્ઞાની) એ “પરમ વસ્તુ” ને સાંભળી ને પણ મૂઢતા છોડતો નથી, જો કે ભલે એણે , --બહાર ના પ્રયત્નો કરી ને નિર્વિકલ્પ (સંકલ્પ વગરની) સ્થિતિ પ્રાપ્ત કરી હોય, --તેમ છતાં અંદર થી તે વિષય વાસના વાળો જ રહે છે. (૭૬).
જે જ્ઞાન વડે “ક્ષીણ (નાશ) બનેલા કર્મ” વાળો છે, અને માત્ર “લોક-દૃષ્ટિ” થી કર્મ કરવાવાળો છે, --તેને કાંઇ પણ કરવા નો કે કાંઇ બોલવાનો પ્રસંગ જ પ્રાપ્ત થતો નથી. (૭૭)
હંમેશ નિર્વિકાર અને નિર્ભય ધીર પુરુષ માટે અંધકાર શું કે પ્રકાશ શું ?કે હાનિ (નુકશાન) શું? (૭૮)
અનિર્વાચ્ય સ્વભાવ વાળા અને સ્વભાવ-રહિત યોગી ને માટે, --પૈર્ય શું? વિવેક શું ? કે નિર્ભયતા શું ? (૭૯)