________________
26
પ્રકરણ-૧૮
અષ્ટાવક્ર કહે છે કેજે બોધ (તેજ રૂપી-જ્ઞાન) ના ઉદય થી,જગત એક ભ્રમ કે સ્વપ્ન જેવું થઇ જાય છે, --તે એક માત્ર શાંત અને આનંદરૂપ-તેજ (પરમાત્મા) ને નમસ્કાર હો(૧)
સર્વ ધન કમાઈ ને મનુષ્ય પુષ્કળ ભોગો પ્રાપ્ત કરે છે, --પરંતુ તે બધાના પરિત્યાગ વગર તે સુખી થતો જ નથી. (૨)
“કર્મ-જન્ય દુઃખ (કર્મો થી પેદા થતાં દુ:ખો) –રૂપી” “સૂર્યની જવાળાઓથી” જેનું મન ભસ્મ થયું છે, --તેણે “શાંતિ-રૂપી” “અમૃતધારા” ની વૃષ્ટિ (વરસાદ) વગર “સુખ” ક્યાંથી મળે ? (3)
આ સંસાર “ભાવના-માત્ર” (સંકલ્પ-માત્ર) છે, અને “પરમાર્થ-દૃષ્ટિ” થી તે કંઈ જ નથી,(
મિથ્યા છે) --કારણકે ભાવ-રૂપ (સંકલ્પ-રૂપ=જગત) અને અભાવ-રૂપ (વિકલ્પ-રૂપ-પ્રલય) પદાર્થો માં --સ્થિર થયેલા એવા “સ્વ-ભાવ” નો કોઈ અભાવ (વિકલ્પ) હોતો નથી. (૪)
આત્મા નું “સ્વ-રૂપ” દૂર નથી કે સમીપ (નજીક) માં નથી,(આત્મા તો સર્વ-વ્યાપક છે)--તે (આત્મા) સંકલ્પ-રહિત,પ્રયત્ન-રહિત,વિકાર-રહિત, દુ:ખ-રહિત અને શુદ્ધ છે, --તે (આત્મા) તો હંમેશ ને માટે પ્રાપ્ત છે. (નોંધ- રહિત=વગરનો) (૫)
“મોહ”ના નિવૃત્ત (નાશ) થવાથી, થતા પોતાના “સ્વ-રૂપ” (આત્મા) ના ગ્રહણ-માત્ર થી, --પુરુષ “શોક-રહિત” થાય છે, અને --આવો આવરણહીન (માયા વિહીન-અનાસકત) પુરુષ, શોભાયમાન (ધન્ય) થાય છે. (૬)
“આ બધું જગત કલ્પના માત્ર છે,અને આત્મા મુક્ત અને નિત્ય છે --એમ જાણ્યા પછી ધીર (જ્ઞાની-પંડિત) પુરુષ,શું બાળક ના જેવી ચેષ્ટા કરે ? (૭)
“આત્મા” એ “બ્રહ્મ” (પરમાત્મા) છે, અને ભાવ-અભાવ (જગત અને પ્રલય) કલ્પના-માત્ર છે, --એવો નિશ્ચય કર્યા પછી તેવા નિષ્કામ પુરુષ માટે,પછી, --જાણવાનું શું? બોલવાનું શું? કે કરવાનું શું ? (બાકી રહે છે?) (૮) આ બધું “આત્મા” જ છે, એવો નિશ્ચય કર્યા પછી, શાંત બનેલા (જીવન્મુક્ત) યોગી ની, --“આ હું છું અને આ હુ નથી” એવી કલ્પનાઓ નષ્ટ થઇ જાય છે. (૯)
શાંત બનેલા યોગી (જીવન્મુક્ત) ને, નથી વિક્ષેપ કે નથી એકાગ્રતા, --નથી જ્ઞાન કે નથી મૂઢતા (અજ્ઞાન) , નથી સુખ કે નથી દુઃખ. (૧૦)
નિર્વિકલ્પ (વિકલ્પ વગરના=જીવન્મુક્ત) બનેલા,સ્વ-ભાવ વાળા યોગી ને, --સ્વ-રાજ્ય માં (પોતાને સ્વર્ગ નું રાજ્ય મળે તો તેમાં) કે ભિક્ષાવૃત્તિમાં, --લાભમાં કે હાનિમાં,લોકોમાં રહે કે જંગલમાં રહે--કંઈ જ ફેર હોતો નથી. (૧૧)
બંદો (સુખ-દુઃખ વગેરે) થી મુક્ત બનેલા, યોગીને, કામ શો? અને અર્થ શો? --અને “આ કર્યું અને આ કર્યું નહિ” એવો વિવેક શો? (૧૨)