________________
પ્રકરણ-૭
જનક કહે છે કે
“મારા-રૂપ” (અહં-આત્મા-રૂપ) મહાસાગર માં.
--“મન-રૂપ” પવન વડે,"જગત-રૂપ” વહાણ આમતેમ ભમે છે (ડોલે છે), --પરંતુ મને તેનો “ઉગ” (અસહિષ્ણુતા-અસહનશીલતા) નથી. (૧)
“મારા-રૂપ” (અહં-આત્મા-રૂપ) મહાસાગર માં.
--એની મેળે જ “જગત-રૂપ” તરંગો ઉઠે કે તરંગો શાંત થઇ જાય, પરંતુ તેનાથી, --નથી “મારામાં” (અહં-આત્મામાં) નથી વૃદ્ધિ થવાની કે નથી કશું ઓછું થવાનું. (૨)
“મારા-રૂપ” (અહં-આત્મા-રૂપ) મહાસાગર માં. આ “જગત” તો “કલ્પનામાત્ર” જ છે,
--અને તેના (તે જગતના) આશ્રય-રૂપ “હું” (અહં-આત્મા) તો, --અત્યંત “શાંત” અને “આકાર વગરનો” (નિરાકાર) જ છું. (૩)
“આત્મા” એ “જગત” માં નથી,અને તે અનંત-નિરંજન સ્થિતિ માં રહેલ “આત્મા” માં “જગત” નથી.
--આથી તેના (તે જગતના) આશ્રય-રૂપ “હું” (અહં-આત્મા) તો, --“આસક્તિ વગરનો” “નિસ્પૃહ” અને “શાંત” છું. (૪).
અહો, “હું” (અહં-આત્મા) તો “ચૈતન્ય” માત્ર છું, અને “જગત” (સંસાર) ઇન્દ્રજાલ (માયા) જેવું છે,
--આથી મારે માટે ત્યાજ્ય ત્યાગ કરવાનો) અને ગ્રાહ્ય (ગ્રહણ કરવાનો) ની, --“કલ્પના” પણ ક્યાં થાય? અને કલ્પના કેવી રીતે થાય ? (૫)
પ્રકરણ-૭-સમાપ્ત