________________
૭૦
સાધક સહચરી જીવમાત્રમાં નિવૃત્તિ અને પ્રવૃત્તિ એવી બે વૃત્તિઓ હોય છે. તે વૃત્તિઓ દ્વારા એક તરફથી નિવૃત્ત થવું અને બીજા માર્ગમાં પ્રવૃત્તિ કરવી એ જ જીવનનું ધ્યેય છે. માટે તે પ્રવૃત્તિઓને સુમાર્ગે જોડી દો. અર્થાત્ કે અસંયમથી નિવૃત્ત થાઓ અને સંયમમાં પ્રવૃત્તિ કરો.
ઉ. ૩૧ : ૨
સંયમ એ જ સર્વ સુખનું મૂળ અને અસંયમ
એ જ દુઃખનું મૂળ છે.