________________
સાધક સહચરી चत्तारि परमंगाणि, दुल्लहाणीह जन्तुणो । माणुसत्तं सुई सद्धा, संजमम्मि य वीरियं ॥ १४ ॥ ચાર શ્રેષ્ઠાંગની પ્રાપ્તિ, દુર્લભ જીવને કહી; મનુષ્યત્વ, શ્રુતિ, શ્રદ્ધા, ચોથી સંયમમાં ગતિ. ૧૪
પ્રાણીમાત્રને આ ચાર ઉત્તમ જીવનવિકાસના વિભાગો પ્રાપ્ત થવા આ સંસારમાં બહુ દુર્લભ છે : (૧) મનુષ્યત્વ, (૨) સત્ય શ્રવણ, (૩) અડગ વિશ્વાસ (શ્રદ્ધા) અને (૪) સંયમની શક્તિ.
ઉ. ૩ : ૧ जेसिं कुले समुवन्ने, जेहिं वासं वसे नरे। ममाइं लुप्पइ बाले, अन्नमन्नेहिं मुच्छिओ ॥ १५ ॥ લઈ જે કુળમાં જન્મ, વસે જે સ્થાનને વિષે; મારું તારું કરે મૂર્ખ, મમતા તે તણી ધરે. ૧૫
પરંતુ જે કુળમાં અને જે ધર્મમાં મનુષ્ય ઉત્પન્ન થયો હોય છે અને જયાં નિવાસ કરતો હોય છે ત્યાં મમત્વભાવવાળો તે બાળક (મૂખી આ મારું આ મારું એમ માનીને પ્રત્યેક પદાર્થો પર (આસક્તિથી છૂટવાને બદલે) ગાઢ અને ગાઢ આસક્ત જ થતો રહે છે.
સૂય. ૧. ઉ. ૧ : ૪ वित्तं सोयरिया चेव, सव्वमेयं न ताणए । संखाए जीवियं चेव, कम्मुणा उ तिउट्टइ ॥ १६ ॥ દ્રવ્ય, સહોદરો સર્વે, ત્રાણરૂપ થતાં નથી; તેમ જાણી જનો વર્તે, કર્મથી મુક્ત થાય તે. ૧૬