________________
૧૪ : શિક્ષા વર્ગ जस्सत्थि मच्चुणा सक्खं, जस्स वऽत्थि पलायणं । जो जाणे न मरिस्सामि, सो हु कंखे सुए सिया ॥१॥ જેને છે મૃત્યુથી મૈત્રી જે જાણે મરવું નથી; મૃત્યુથી જે છૂટી ભાગે તે સૂએ સુખથી ભલે. ૧
જેને મૃત્યુ સાથે મિત્રતા હોય, જે મૃત્યુથી છૂટી શકતો હોય અથવા જે જાણતો હોય કે હું મરીશ નહિ, તે જ ખરેખર આવતી કાલ પર વિશ્વાસ રાખી સૂખેથી સૂઈ શકે.
ઉ. ૧૪ : ૨૭ इमं च मे अत्थि इमं च नथि, इमं च ने किच्चमिमं अकिच्चं । तं एवमेवं लालप्पमाणं, हरा हरंतित्ति कहं पमाओ ॥ २ ॥
આ મારું આ નથી મારું, આ કર્યું મેં ન આ કર્યું; જલ્પતા એમ જીવોને, હરે કાળ પ્રમાદ શો ! ૨
આ સુવર્ણ ઘરબાર વગેરે મારું છે અને આ મારું નથી. આ મેં (વ્યાપારાદિ) કર્યું. આ પ્રમાણે બડબડતા પ્રાણીને કાળ જોતજોતામાં ફાળ દઈને હરી લે છે. માટે શા સારુ પ્રમાદ કરવો ?
ઉ. ૧૪ : ૧૫ जरा जाव न पीडेइ, बाही जाव न वड्डइ । जाविदिआ न हायंति, ताव धम्मं समायरे ॥३॥ જરા જ્યાં સુધી ના પડે જ્યાં સુધી વ્યાધિ ના વધે; થઈ ઈદ્રિય હાનિ ના ત્યાં સુધી ધર્મ આચરો. ૩