________________
પરિશિષ્ટ
દારૂ અને જુગાર વડે શેતાન તમારામાં કુબુદ્ધિ પેદા કરી તમને પ્રભુ સ્મરણથી તથા નમાજથી અટકાવવા માગે છે, પણ તમે તેને વશ થતા નહિ.’ (કુ. ૫-૯૧)
ઐહિક વસ્તુ પડી રહેશે, ખુદાનું નામ માત્ર બાકી રહેશે.’ (કુ. ૧૬-૯૬).
'ઓ મુસલમાનો ! મર્યાદા બહાર ન જશો. મર્યાદા બહાર જનારને પરમેશ્વર પસંદ કરતો નથી. (કુ. ૫-૮૭)
હલાલને બદલે હરામની રોજી લેશો તો પ્રાયશ્ચિત આવશે.' (કુ. ૫-૮૯)
'ઈમાન એક રાખો તમારામાંથી જે લોકોએ વિશ્વાસ રાખ્યો છે, તેમને માટે (પ્રભુની) સર્વોપરી દયા છે.’ (કુ. અ. ૯)
'સ્ત્રી હો કે પુરુષ હો; જે સારાં કામ કરે તેને સારાં કામનો બદલો આ લોકને પરલોકમાં મળશે.' (કુ. ૧૬-૯૭)
લુકમાન નામના પ્રસિદ્ધ તત્ત્વજ્ઞાનીએ પોતાના પુત્રને કહ્યું : 'હે મારા પુત્ર નમાજ પઢજે.'
૯૯
અમેઘ્ય ખાણાં પીણાં લેનાર (૧ ૮-૧૦) ને જૂઠને માર્ગે ચાલનારા તામસ લોકો આસુરી પ્રકૃતિના બને છે. ને તેથી તે પવિત્રતા સદાચાર કે સત્ય નથી પાળી શકતા. (૧૬-૭,૮).
લોકોને સારાં કામ કરવાનું કહેજે, બૂરાં કામની મના કરજે.
ભૌતિક પદાર્થ માત્ર વિનાશી છે, અવિનાશી એવા પ્રભુથી એ ભિન્ન છે. (૧૫-૧૬)
જે આત્મયુકત છે, તે પ્રભુમાં રહેલી શાંતિ પામે છે. (-૧૫)
ત્યાગનો ભાગ દીધા વિના અણહકના ખાનારનું જીવન વૃથા છે, તે પાપ જ ખાય છે. (૩-૧૩, ૧૬)
આ યોગે એકનિષ્ઠ બુદ્ધિ જોઈએ. (૨-૪૧)
જે શ્રદ્ધાળુ જ્ઞાન પામી સંયમી થાય છે; તે પ શાંતિ પામે છે. (૪-૩૯)
મારાં આશ્ચિત સ્ત્રી કે પુરુષ ગમે તે હો પરંગતિ પામે છે. (૯-૩૩)
(શ્રીકૃષ્ણ ગુરુદેવ અર્જુનને ઉદ્દેશીને કહે છે )
હૃદયમાં રહેલા ઈશ્વરને શરણે સર્વભાવે જજે; તો તેના પ્રસાદે પ શાંતિ અને શાશ્વત પદ પામીશ. (૧
*૮-૬૨)
નિયત કર્મ ક૨, અકર્મ કરતાં કર્મ શ્રેષ્ઠ છે. (૩-૮)