SearchBrowseAboutContactDonate
Page Preview
Page 6
Loading...
Download File
Download File
Page Text
________________ પૂર્વરંગ સંતબાલજી મહારાજના મુખેથી રામાયણનું શ્રવણ કરવું તે એક લહાવા જેવું છે. જામનગરના ચાતુર્માસમાં એના સાપ્તાહિક ક્રમમાં એક દિવસ રામાયણ અને એક દિવસ ગીતા પર જાહેર પ્રવચન રહેતાં એમાં જૈન અને જેનેરેએ જે તરબળ જ્ઞાન-ભક્તિને આનંદ લીધે તે તેમની સમ્યફ ભક્તિમાં પ્રગટ થતે જણા. મહારાજશ્રી જૈન ધર્મને તે એક મહાસાગરરૂપ માને છે કે જેમાં સર્વ ધર્મની સરિતા મળે છે અને ભળે છે. એથી જ સર્વધર્મ ઉપાસના એમનાં બાર વ્રતમાં સત્યશ્રદ્ધા પછી તુરત જ સ્થાન પામી છે. દરેક ધર્મને પિતાના અધિષ્ઠાન, અનુષ્ઠાન, તત્ત્વજ્ઞાન અને કથાસાહિત્ય હેય છે. એ જ એની બહા, શીલ, ચારિત્ર અને સંસ્કારનું ઘડતર કરતાં હોય છે જેને તેને દ્રવ્યાનુયેગ, ચરણનુયોગ, કરુણાગ અને ધર્મ કથાનુગ કહે છે. રામાયણ, મહાભારત, અને ભાગવત એની લેક-પરિભાષા અને શૈલીમાં પણ ધર્મકથાનુયોગ બનવાની પૂરેપૂરી ક્ષમતા ધરાવે છે માનવતા, ન્યાયનીતિમયતા, સુવ્યવસ્થિતતા, અને આધ્યાત્મિકતાના આરોહણનું આ ગ્રંથ માધ્યમ બન્યા છે અને જે ગ્રંથ દ્વારા માનવતા વિકસે, સંપૂર્ણ ન્યાય—નીતિમયતાનું મૂલ્ય વિકસે, સ્વ અને સમાજનું કોય થાય તેવા આચાર-વિચારોની વ્યવસ્થા સ્થપાય તેમજ પ્રભુને સમર્પિત થવાના કે અહંતા–મમતા અને કામ-ધાદિ વિકારે વિરામ પામવાના ઉપચારોથી નિજ શુદ્ધિરૂપ મોક્ષને સહાય મળે તે ગ્રંથ ધર્મકથાનુગ બનનારું વિમલ શાસ્ત્ર છે, પુનિત પુરાણું છે. ત્રણેય ગ્રંથામાંથી આ બધી સામગ્રી અને પ્રસંગે જે વ્યવહારમાં સદાચાર ને ન્યાય–નીતિ
SR No.008082
Book TitleAbhinava Bhagawat Part 1
Original Sutra AuthorN/A
AuthorSantbal
PublisherMahavir Sahitya Prakashan Mandir Ahmedabad
Publication Year1984
Total Pages362
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy