SearchBrowseAboutContactDonate
Page Preview
Page 160
Loading...
Download File
Download File
Page Text
________________ ભૂદાન કામ અમે ઉપાડીશું. સાધુના સંમેલન થશે પણ આશ્રિતો કોના થશે? આ મોટો સવાલ છે. રાજ્યાશ્રય કામોથી સત્ય, અહિંસા નહિ જળવાય. જનતા દ્વારા કાર્યક્રમો ચાલવા જોઈએ. લોકશાહીમાં પક્ષો રહેવાના. એ પક્ષો પણ રચનાત્મક કાર્યક્રમમાં ભાગ લે છે. આજે ગામડાંમાં પંચાયત હોય છે. બીજી સંસ્થા હોય, ચૂંટણીમાં લોકો કોને ચૂંટે છે, સ્થિતિ એવી છે કે પૈસા જોઈએ, લાગવગ જોઈએ. એટલે તમે ધનવાનને જ ચૂંટો છો. જૂની નેતાગીરી ચાલુ જ છે. તેમાંથી જનતાની નેતાગીરી નીચેથી લાવવી જોઈએ. સરકારના ભાડામાંથી છોડાવવા પડશે. ન્યાયના પ્રશ્નો હલ કરવા પડશે. આ બધું સમાજની શક્તિ પેદા કરીને કરવું પડશે. અનિષ્ટો સામે શુદ્ધિપ્રયોગ કરવા જોઈએ. અહીં સેવાદળ તરફથી ફાઈનલના બધા વર્ગો ચલાવવામાં આવે છે. ત્યાં મેડા ઉ૫૨ ગયા હતા. અહીં શાળાન્ત ઉપરાંત નાગરિકતાના ખ્યાલો આપવામાં આવે છે. આંતરરાષ્ટ્રીય પ્રશ્નો, શહે૨ના પ્રશ્નો વગેરે જણાવવામાં આવે છે. ૧૭ શિક્ષકો, ૧૨૩ ભાઈ બહેનો તાલીમ લે છે. શાળાન્ત નાગરિકતાની તાલીમ અપાય છે. અહીંથી મહારાજશ્રી નદીકિનારે જંગલ જવા ગયા. અમે નદીકિનારે મુકામ ઉપર આવ્યા. રાત્રે ૮-૩૦ વાગે જૈનોની વાડી (વેજલપુરમાં જાહેરસભા રાખી હતી) લાઉડસ્પીકર હતું જ. જૈનોએ આ રીતે રાત્રિ જાહેરસભા ભરવા રજા આપી તે આનંદની વાત છે. મહારાજશ્રીએ સવા કલાક સુધી જૈન ધર્મ એ વિશ્વધર્મ છે તે શાસ્ત્રીય દાખલા આપી જૈનોને ઉદાર થવા કહ્યું હતું. લોકો પોતાને પક્ષીય કહે છે તેનો જવાબ આપતાં જણાવ્યું કે હું સત્યનો પક્ષપાતી જરૂર છું. ન્યાયનો પક્ષપાતી જરૂર છું. જયાં જયાં જે જે પક્ષીય છે ત્યાં ત્યાં મૂકવું છે. જેનો પહેલો નંબર હોય તેને પહેલાં મૂકવો. આદર્શમાં અને વહીવટમાં થોડો ફેર છે. સીડી ચઢી ગયા પછી સીડીને છોડી દો તો વાંધો નથી પણ સીડી નહીં દેશો તો બધાં ઉપર નહીં ચઢી શકે. પક્ષ સૈદ્ધાંતિક પક્ષની જરૂર એટલા માટે છે કે એ દ્વારા અપક્ષમાં જવાનું છે. આ વિભાગના મુખ્ય કાર્યકર હીરાલાલ નાળિયે૨વાળા છે. તા. ૧૦-૧૨-૫૭ : આજે નિવાસ કબીરપરામાં હતો એટલે ઘાડિયા શહેરોમાંથી જાડવી આવ્યા. રસ્તામાં રજપૂત લોકોની મુલાકાત લીધી હતી. ૩૦ બાળકો છે. સાધુતાની પગદંડી : પુસ્તક - છઠ્ઠું ૧૩૯
SR No.008081
Book TitleSadhuta ni Pagdandi Part 6
Original Sutra AuthorN/A
AuthorManilal Patel
PublisherMahavir Sahitya Prakashan Mandir Ahmedabad
Publication Year2002
Total Pages250
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy