SearchBrowseAboutContactDonate
Page Preview
Page 133
Loading...
Download File
Download File
Page Text
________________ હોંશિયાર વિદ્યાર્થી હોય, કાયમ ઊંચું ધો૨ણ સાચવતો હોય પણ પ૨ીક્ષાને દિવસે લાઘવગ્રંથી આવી ગઈ તો તે નાપાસ થઈ જાય છે. એટલે પરીક્ષાનું માપ સાચું નથી. તેમ તેના સિવાય ચાલે તેમ નથી. કેટલાક પાસ થવા માટે બાધા-આખડી કરે છે. લોકોને પુરુષાર્થવાદી બનાવવા તે કામ શિક્ષકોનું છે. હું કબૂલ કરું છું કે આજે ઓછામાં ઓછું વેતન શિક્ષકોનું છે, પણ તમે સ્વમાનપૂર્વક શિક્ષણ આપતા જશો તેમ તેમ એનો ઉકેલ આવશે. સૈનિકોને રોજ કવાયત શીખવો ત્યારે જ યુદ્ધમાં જીતે છે. જૈનોમાં પ્રતિક્રમણ વિધિ આવે છે. રોજ રોજની તારવણી કરવાની હોય છે. તેમ રોજ થોડું થોડું શીખવતાં જઈશું તો તેમનામાં હિંમત આવી જશે. એક ભાઈએ કાયદાની વાત કરી. કેટલાંય હસતાં હતાં. વાત સાચી છે કે કાયદાથી કંઈ વળતું નથી. તેમ આજની દશા એવી છે કે કાયદા વગર લોકો સુધરતા પણ નથી. આપણે બન્નેનો મેળ પાડવો છે. કેટલાક પ્રસંગોમાં શુદ્ધિપ્રયોગો પણ બહુ કામ આપે છે. બાળકોની ગેરહાજરી રહેવાનું કારણ ગરીબોની કેટલીક પરિસ્થિતિ પણ હોય છે. ગ્રામસભાના કાર્યક્રમો પણ ખૂબ ઉપયોગી થશે. ચા, બીડી પણ સામાજિક દબાણ લાવી દૂર કરી શકાશે. છેલ્લી વાત ચારિત્ર્ય ઉપર બહેનો-ભાઈઓએ સાથે મલી ખૂબ ધ્યાન આપવું જોઈએ. આપણે હરતાં રહીએ, રમતા રહીએ તો પણ જાગૃતિ રહે. સમાજ પણ એમાંથી દોષ ન જુએ. આને માટે તો સતત આધ્યાત્મિક વાચન, મનન, સત્સંગ જરૂરી છે. શિક્ષકના દોષો વિદ્યાર્થી પકડી શકે. ચા-બીડી શિક્ષક વાપરતો હશે તો બાળકો પણ એ વા૫૨શે. એકાદ હસ્તલિખિત ત્રિમાસિક કે માસિક જેવું કાઢો તો નવા શિક્ષકોને ઉપયોગી થશે. પ્રવાસ, પર્યટનો પણ ઉપયોગી થશે. મહારાષ્ટ્રમાં જાઉં છું. તે પણ સારા હેતુ માટે. પ્રાંતીયવાદ દેશમાં માઝા મૂકે છે. ગ્રામસંગઠન પણ ત્યાં થઈ શકે. તે પણ તે લોકો જાણે છે. રાજય ઉપર ગામડાંની અસર કેમ રહે તે પણ કરવા જેવું છે. સાંજના ગામમાં રહેવાનું વિચાર્યું હતું એટલે ગામમાં ગયા. ધર્મશાળામાં નિવાસ કર્યો. ત્યાં ધીંગડા, ભૂરખી, લોલિયાના, ગુંદાના આગેવાનો ભોળાદ જિનિંગ ફેક્ટરીનો વિકાસ કેમ થાય તે અંગે વિચારણા કરવા એકઠા મળ્યા હતા. આ બાર-ચરખાનું જિન છે. પણ આગેવાનોની ખામીને કા૨ણે દિવસે દિવસે લોકોની શ્રદ્ધા તૂટતી ગઈ. ત્રણ વર્ષથી જિન ચાલે છે. ગઈ સાલ સાધુતાની પગદંડી : પુસ્તક - છઠ્ઠું ૧૧૨
SR No.008081
Book TitleSadhuta ni Pagdandi Part 6
Original Sutra AuthorN/A
AuthorManilal Patel
PublisherMahavir Sahitya Prakashan Mandir Ahmedabad
Publication Year2002
Total Pages250
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy