________________
કાશીબહેન, મંત્રીઓ છોટુભાઈ અને અંબુભાઈ ચૂંટાયા. ત્યારબાદ બજેટ ઉપર ચર્ચાઓ થઈ. હવે ગુજરાત વ્યાપી પ્રાયોગિક સંઘો રચી નાખવા જોઈએ અને એ દષ્ટિએ કામ થાય તે માટે દરેક જિલ્લામાં એક એક કાર્યકર નીમવો. એ માટે ૧૦ હજાર રૂપિયા મંજૂર કરાયા. તા. ૧૬-૧૧-૫૭ :
આજે સવારના મહારાજશ્રીએ કપડાં ધોયાં. પ્રદેશ માટે ભાલ નળકાંઠા સંસ્કાર કેળવણી મંડળની રચના કરવાનું નક્કી કર્યું. સંયોજક તરીકે નવલભાઈ રહેશે. ૧૫ જણની કારોબારી રચી. બપોરના ૨ થી ૩-૩૦ સર્વોદય યોજનાના સંચાલન નીચે ચાલતી શાળાના શિક્ષકોની એક સભા રાખી હતી. પ્રથમ નવલભાઈએ પ્રાસંગિક કહ્યું. ત્યારબાદ દરેક શાળાના મુખ્ય શિક્ષકે તેમની શાળાનો ઇતિહાસ વિકાસ વગેરે કહ્યું. ગુંદીમાં પાંચ સાળો, ૧૨૧ રેંટિયા, ૭ ધોરણ છે. ધીંગડા, ૮ રેંટિયા ચાલે છે. ગ્રામસફાઈ કરે છે. ભૂરખી ૮૫ સંખ્યા. ૪ ધોરણ. ઉદ્યોગ ઓછો ચાલે છે. અઠવાડિયે સફાઈ કરે છે. ૧૩ રેંટિયા ચાલે છે. પ્રૌઢશિક્ષણના વગો ચલાવવા પ્રયત્ન કરે છે. ગાંગડ ૭ ધોરણ છે. ૭૫ ટકા પરિણામ આવે છે. ૮ શિક્ષક છે. કન્યાશાળા છે. સફાઈ ચાલે છે. જવારજ પહેલાં ૧૭૨ સંખ્યા હતી આજે ૨૩ર છે. આજે શિક્ષકો ૬ છે. ઉદ્યોગ સારી રીતે ચાલે છે. ૧૦૦ રેંટિયા છે. ફાઈનલમાં દમાંથી ૫ પાસ થયા. અઠવાડિયે ગ્રામસફાઈ થાય છે. બગોદરા ૧૪૪ સંખ્યા, ઉદ્યોગ શરૂ કરવાનો છે. ૧૫ રેંટિયા મળ્યા છે, ૩ શિક્ષક છે. દેહગામડા ૩૦ સંખ્યા છે ૧ શિક્ષક છે.
| નવલભાઈએ સંબોધન કરતાં જણાવ્યું કે - તમારી વાતો ઉપરથી એ તારણ નીકળ્યું કે વાલીઓ બરાબર રસ લેતા નથી. તો આપણે વાલીદિન ઉજવતું પ્રદર્શન પણ ભરવું. લોકો વિરોધ કરે છે. તેનું કારણ શાળાની પ્રગતિનો ખ્યાલ નથી એટલે જે શિક્ષણ ચાલે છે તેની નોંધ કરી બાળક પાસે મોકલી વાલીની સહી લેવી. બીજા શાળાના શિક્ષકોનો સંપર્ક રાખી શકે તેવા કાર્યકર મળવા જોઈએ. પછાત બાળકોને ભણાવવા તરફ વધુ ધ્યાન આપવું. ઉચ્ચ વર્ણના લોકો તો ભણવાના છે જ. બાલવાડી સંખ્યા ૩૦ છે.
મહારાજશ્રી : શરૂઆતમાં જ પૂછ્યું બહેનો કેમ નથી આવ્યાં ? તો કહે વરસાદને
૧૧૦
સાધુતાની પગદંડી : પુસ્તક - છઠું