SearchBrowseAboutContactDonate
Page Preview
Page 77
Loading...
Download File
Download File
Page Text
________________ તા. ૩૦-૪-૧૯૫૪ : આંકોલાળી કુંભણથી નીકળી આકોલાળી આવ્યા. અંતર ત્રણ માઈલ. ઉતારો ઉપાશ્રયમાં રાખ્યો હતો. અહીં અમૂલખભાઈ ખીમાણી અને ખાદી કાર્યાલયવાળા રવજીભાઈ આવ્યા હતા. તા. ૧-૫-૧૯૫૪ : રાણપરડાં આંકોલાળીથી રાણપરડા આવ્યા. અંતર સાડાચાર માઈલ. ઉતારો નિશાળમાં રાખ્યો હતો. શંભુભાઈ કાર્યકર આગળથી આવી ગયા હતા. ગામે અને વિદ્યાર્થીઓએ ઢોલ-તાસાં સાથે સુંદર સ્વાગત કર્યું હતું. રાત્રે જાહેરસભા સારી થઈ હતી. તા. ૨,૩-૫-૧૯૫૪ : ઘેટી રાણપડાથી ઘૂંટી આવ્યા. અંતર અઢી માઈલ. ઉતારો ઉપાશ્રયમાં રાખ્યો હતો. તે પહેલાં પ્રથમ રામજી મંદિરમાં પ્રાસંગિક કહ્યું હતું. જાહેર સભા થઈ. તા. ૪,૫-૫- ૧ ૪ : આદપુર ઘૂંટીથી આદપુર આવ્યા. અંતર અઢી માઈલ. ઉતારો ધર્મશાળામાં રાખ્યો હતો. રાત્રે સભા થઈ હતી. ૧ વીવો ભૂદાન મળ્યું. તા. ૬,૫-૧૯૫૪ : પાલિતાણા આદપુરથી પાલિતાણા આવ્યા. અંતર ચાર માઈલ. ઉતારો કંકુભાઈની ધર્મશાળામાં રાખ્યો હતો. આગેવાનોએ અને વિદ્યાર્થીઓએ બંડ સાથે સ્વાગત કર્યું હતું. સરઘસમાં કલેક્ટર, મામલતદાર વગેરે આવ્યા હતા. સભામાં પ્રથમ ગુરુકુળના સેક્રેટરી શ્રી ફૂલચંદભાઈએ પ્રાસંગિક કહ્યું હતું ત્યારબાદ મહારાજશ્રીએ જણાવ્યું કે કસબા અને શહેરો એજન્ટ બન્યા છે. ખરેખર પૂંજીવાદ કે સંસ્થાનવાદ અને બીજી બાજુ સરમુખત્યારબાદ કે સામ્યવાદ એ બધાએ જે ભરડો લીધો છે, તેનું મુખ્ય કારણ પૈસો છે. કસબા અને શહેરો એના એજન્ટ મટીને ગામડા તરફ નજર ફેરવે તો ઘણું કામ થઈ શકે. અખાત, નદીઓ ને પાછી વાળી નાની નાની ઝરણીરૂપે ગામડાંમાં વાળે તો લીલાલહેર થઈ જાય. આપણને જે ભય લાગી રહ્યો છે તેમાંથી મુક્ત થવાનું સાધન એ જ છે. પણ કસબાના લોકોને ભય છે કે, ગામડાં તરફ ૪૬ સાધુતાની પગદંડી
SR No.008080
Book TitleSadhuta ni Pagdandi Part 5
Original Sutra AuthorN/A
AuthorManilal Patel
PublisherMahavir Sahitya Prakashan Mandir Ahmedabad
Publication Year2001
Total Pages336
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy