SearchBrowseAboutContactDonate
Page Preview
Page 54
Loading...
Download File
Download File
Page Text
________________ ઓઢ યે જાય ? હમણાં મારી પાસે આખી રાત ડાકલાં વાગ્યાં. બૈરીને આખી રાત મારી. કોણ આવ્યું? કોને વાગ્યું? એ જોતાં નથી. મુનિશ્રી કહેતા હતા કે રસીઓને મારતા નહિ પણ આ માર કોણ કાઢે ? બીજી વાત એમણે કહી સ્ત્રીઓને પૂછીને આવ્યા છો ? અમે પણ નથી પૂછતા. પણ તમારી પૂંછડી જીઓના હાથમાં છે. ગમે તે ઠરાવ કરીને જાઓ, પણ એના દિલમાં નહિ ઊતરે તો કકળાટ કરશે અને એ કકળાટ તમને મૂંઝવશે. એટલે માની જશો. ચોમાસામાં ખેરો નામનું પ્રાણી થાય છે. સાપની પૂંછડી પકડીને પછી સંતાઈ જાય છે. સાપ ગમે તેટલાં પછાડા ખાય, મરી જાય ત્યાં સુધી છોડે નહિ. એમ સ્ત્રીઓએ તમારી પૂંછડી પકડી છે. આ બધું શિક્ષણ લીધા સિવાય નહિ જાય. એટલે તમે બાળકો અને મોટાં શિક્ષણ લેતાં થઈ જાઓ. તમારી મહેનત મજૂરીની છાપ ઊભી કરો. કે પૂરું વેતન મળે. પ્રમાણિકપણે મજૂરી કરવી જોઈએ. કોળી ભાઈડો એટલે બસ એ છાપ ઊભી થઈ જવી જોઈએ. એ કેળવણીથી થશે. કોટપાટલૂનની કેળવણીની વાત નથી કરતો. પણ અક્કલ આવે, હોંશિયારી આવે, સંસ્કાર આવે. તે માટેની કેળવણીની વાત કરું છું. બહેનોને પણ કેળવણી આપો. તે ફાટી નહિ જાય. તમે ફાટતા હશો તો બચાવશે એ જાતની કેળવણી આપવાની જરૂર છે. મનુભાઈ પંચોળીએ જણાવ્યું કે, ગામડાંને ટકાવવા માટે મને જરૂર લાગે છે તે બાબત જણાવતાં કહ્યું કે, ગામડાંને જીવતાં રાખવાં હોય તો ખાદી અને ગોપાલન મુખ્ય લેવા જોઈએ. એ સિવાયનું સંગઠન અધૂરું રહેશે. શોષણ માટે પણ સંગઠન થઈ શકે. એટલે આપણે નીચેનાને સાથે રાખીએ. તે એક સંગઠન છે. આપણા કરતાં ઘણા લોકો દુઃખી છે. તેને ખોળામાં લેવા જોઈએ. ઈશ્વર ગરીબ અને ગાય માટે અવતરે છે. ગાય દરેક રીતે ઉપયોગી છે. ખડ ખાય અને દૂધ આપે. હું કોઈને કહું ગાયનું ઘી, દૂધ ખાવ તો કહે છે મોંધું પડે છે. પણ તેનું કારણ ભેંસના પાડા ઉછેરવા પડતા નથી. જવાબ મળે છે : ભગવાનને ત્યાંથી આયુષ્ય ઓછું લઈને આવ્યા છે. ટ્રેક્ટર પણ ગાયને મારવાનું સાધન છે. કારખાનાવાળા તેને ગમે તે પ્રકારે ઘુસાડવા માગે છે. યંત્રોવાળા મૂડીદારો એ કરશે. પણ આપણે એને બદલે ગાયને મહત્ત્વ આપવું જોઈએ. તેનું જ ઘી, દૂધ વાપરવું. મહિષાસુર ના જોઈએ. સાધુતાની પગદંડી 23
SR No.008080
Book TitleSadhuta ni Pagdandi Part 5
Original Sutra AuthorN/A
AuthorManilal Patel
PublisherMahavir Sahitya Prakashan Mandir Ahmedabad
Publication Year2001
Total Pages336
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy