SearchBrowseAboutContactDonate
Page Preview
Page 328
Loading...
Download File
Download File
Page Text
________________ મંત્રી છે અને મજૂર મહાજનમાં કામ કરે છે તેમણે સંબોધન કર્યું. મોતીભાઈ, લક્ષ્મણભાઈ સાથે હતા. વળી છોટુભાઈ, સુરાભાઈ, સરતાનભાઈ અને હું (મણિભાઈ) એટલા કાર્યકરો હતા. બે બહેનોએ કુમકુમ તિલકથી સ્વાગત કર્યું હતું. ૪ની ગાડીમાં પાછો આવી ગયો. સવારની વેળામાં અમદાવાદથી ગુ. પ્રાં. સમિતિના મંત્રી ઠાકોરભાઈ, મેયર પ્રેમચંદભાઈ, કાંતિલાલ ઘીયા, કામદાર વગેરે મહારાજશ્રીને મળવા આવી ગયા. મોરારજીભાઈનો સંદેશો પણ કહેવાનો હતો. તા. ૩૧મીએ ૧૦૧ ટુકડીઓ મોકલવાનો વિચાર ચાલતો હતો. તે અંગે તેમનું મંતવ્ય એ રહ્યું કે ૩૧ ને બદલે ૩૦મીએ ટુકડીઓ મોકલવી. વળી સરઘસ દશેક ટુકડીનું કાઢવું. બાકીના સભામાં રહે. આનું કારણ એ હતું કે મહાગુજરાતવાળા ૩૧-૧એ પોતાનો કાર્યક્રમ યોજશે. ત્યારે નાહક અથડામણ થવાના નિમિત્ત આપણે ના બનવું. આ તેમની સલાહ હતી. પછી તો મહારાજશ્રી ઉપર છોડ્યું. સદ્ભાગ્યે અંબુભાઈ પણ હાજર હતા. એટલે એમના કહેવા પ્રમાણે ગોઠવ્યું. સભાને ઢેબરભાઈ અગર રસિકભાઈ પરીખ સંબોધે એમ વિચાર્યું. તે નક્કી કરી લેશો. મહારાજશ્રીએ પણ તેમને લખ્યું છે. તા. ૨૫-૧૦-૧૫૬ : આજે જમનાશંકર પંડયા, રસિકભાઈ વગેરે આવ્યા. તેઓ મોરારજીભાઈનો સંદેશો લેતા આવ્યા. પૂર્ણાહુતિના દિવસે ૧૧૧૧ ખેડૂતો સરઘસમાં જાય તો એક જાતનો (વાતાવરણમાં) જુવાળ પેદા થાય. મહારાજશ્રીએ પોતાના વિચારો દર્શાવતાં જણાવ્યું કે હું પણ એમ જ ઇચ્છે છું. પણ ઠાકોરભાઈએ એવું લખ્યું કે ૧૦માંથી ૧૦૦ થાય તો લોકો વધારે ઉશ્કેરાશે. ત્યાર પછી શાંતિસેના અંગે વાતો થઈ. આ ટુકડી માત્ર શહેરમાં પ્રચાર અર્થે ફરશે. અને તેની સંખ્યા ૧૫ થી ૨૦ની રહેશે. તા. ૧૩-૧૧-૧૯૫૬ : આજે અહીં પ્રાયોગિક સંઘની મિટિંગ હતી. બધી સંસ્થાના અહેવાલ વંચાયા. ચર્ચાઓ થઈ અને બજેટ મંજૂર થયું. યશવંતરાવ ચૌહાણ જે મુંબઈ રાજ્યના વડાપ્રધાન છે તેઓ ગુજરાતના સાધુતાની પગદંડી ૨૯૫
SR No.008080
Book TitleSadhuta ni Pagdandi Part 5
Original Sutra AuthorN/A
AuthorManilal Patel
PublisherMahavir Sahitya Prakashan Mandir Ahmedabad
Publication Year2001
Total Pages336
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy