SearchBrowseAboutContactDonate
Page Preview
Page 268
Loading...
Download File
Download File
Page Text
________________ તા. ૧૬, ૧૭, ૧૮-૫-૧૯૫૬ : તગડી અણીયાળીથી તગડી આવ્યા. અંતર ચાર માઈલ હશે. અહીં કુરેશીભાઈના પ્રમુખપણા નીચે ચુંવાળિયા પરિષદ ભરાઈ હતી. પચાસેક ગામના લોકો આવ્યા હતા. તા. ૧૯, ૨૦-૫-૧૯૫૬ : ગુંજાર તગડીથી ગુંજાર આવ્યા. અંતર ચાર માઈલ હશે. તા. ૨૧,૨૨-૫-૧૯૫૬ : ભાસણા ગુંજારથી નીકળી ભાસણા આવ્યા. અંતર ચાર માઈલ હશે. ઉતારો નિશાળમાં રાખ્યો. ગામ લોકોએ સ્વાગત કર્યું. અહીં એક હવાડો ભરવા સંબંધી ઝઘડો હતો. તે સારી રીતે પતી ગયો. તા. ૨૩-૫-૧૯૫૬ : ઝાંઝરા ભાસણાથી નીકળી ઝાંઝરકા આવ્યા. અંતર ચાર માઈલ હશે. ઉતારો નિશાળમાં રાખ્યો હતો. અહીં હિરજનોનું મોટું યાત્રાસ્થળ છે. મંદિરની જગ્યા છે. લાલજી મહારાજ વહીવટ કરે છે. તેઓ રાષ્ટ્રીય વિચારના છે. તા. ૨૪-૫-૧૯૫૬ : નાનાત્રાડિયા ઝાંઝરકાથી નીકળી નાનાત્રાડિયા આવ્યા. અંતર સાડાત્રણ માઈલ હશે. ઉતારો મંદિરમાં રાખ્યો હતો. રાત્રે સભા થઈ હતી. તા. ૨૫, ૨૬-૫-૧૯૫૬ : મોટા ત્રાડિયા નાના ત્રાડિયાથી મોટા ત્રાડિયા આવ્યા. અંતર બે માઈલ હશે. ઉતારો એક દરબારના મકાનમાં રાખ્યો હતો. ગામે વાજતેગાજતે સ્વાગત કર્યું. સાંજના હિરજનવાસમાં જઈ આવ્યા. તેમને સહકારી મંડળી કરવાથી જમીન મળી છે. કોળીઓ અને તેમને ઝઘડો થયેલો. તે બાબત ગામ લોકોને મહારાજશ્રીએ ઠપકો આપ્યો કે હિરજનોને મારવા એ ભયંકર ગુનો છે. અહીં સૌરાષ્ટ્રના વલ્લભીપુર મહાલનાં મેલાણાં ગામના બે ખેડૂતો તેમની જમીન બાબતના પ્રશ્ન અંગે મહારાજશ્રીને મળવા ઠેઠ ત્યાંથી અહીં આવ્યા હતા. તેમણે કહ્યું, અંગ્રેજીમાં ચુકાદો કોર્ટ આપે છે તેથી ખેડૂતોને ભારે હાલાકી થાય છે. ફેંસલો આપનાર અને સાંભળનાર ગુજરાતી હોય છે. સાધુતાની પગદંડી ૨૩૭
SR No.008080
Book TitleSadhuta ni Pagdandi Part 5
Original Sutra AuthorN/A
AuthorManilal Patel
PublisherMahavir Sahitya Prakashan Mandir Ahmedabad
Publication Year2001
Total Pages336
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy