________________
રસ્તો છે તે બહાદુરીનો છે. એમાં ક્યાંય ડરને સ્થાન નથી. “સ્વલ્પ મણસ્વ ધર્મસ્યત્રાયતો મત ભયાત” ગીતા કોલ આપે છે. ધર્મને માર્ગે હશો તો તમને કોઈ ડર નડવાનો નથી. સત્ય બોલવું અને હિતકારી બોલવું. મધુર લાગે તે બોલવું. એ જરૂર ખ્યાલ રાખવો પણ કેટલીકવાર એ બધું કરવા છતાં સત્ય કહેતાં અપ્રિયતા આવી જવાની.
માણસનો સ્વભાવ એવો હોય છે કે, મંતવ્યો જુદાં હોય છે તેને મન જુદાં કરી નાખે છે. અહીંનો દાખલો લઈએ. ગઈ ચૂંટણી વખતે મારા મનમાં એક કલ્પના હતી, કે, ગુજરાતમાં રચનાત્મક કામ કરતા આશ્રમવાસી ભાઈઓને ધારાસભામાં મૂકવા. એ રીતે મેં વાલમ આશ્રમવાળા રતિભાઈનો અભિપ્રાય પૂછળ્યો, તેમની બહુ ઈચ્છા નહોતી, છતાં કહ્યું બહુ આગ્રહ થશે તો ઊભો રહીશ. સામાન્ય રીતે જિલ્લાના કાર્યકરોને પૂછીને સીટ અપાય છે. જનતાને પૂછ્યા સિવાય સીટ અપાય છે. એટલે કેટલીક મુશ્કેલીઓ આવે છે. પોતાથી જુદું વર્તન બતાવ્યું એટલે એ માણસ અપ્રિય થઈ જવાનો પછી એ માણસ ગમે તેટલું સત્ય બોલે તો પણ એની કિંમત રહેવાની નહિ. આમ છતાં માણસે સત્ય છોડવું જોઈએ નહિ. બીજી વાત પણ વિચારવી જોઈએ. કે ખરેખર અસત્ય કે અન્યાય હોય તો કાનૂનભંગ કરવો કે નહિ ? એક માણસ દોંગો છે. હથિયાર લઈને દોડી આવે તો એની સામે હથિયાર લેવાં કે નહિ ? એક રીતે અન્યાયનો સામનો કરવો એને બહાદુરી કહેવાય. પણ એથી ઊંચો રસ્તો અહિંસક સામનાનો છે. પણ એવી સ્થિતિ ઊભી ન કરીએ ત્યાં સુધી શસ્ત્ર સામનો સૌમ્ય ગણવો પડે. આપણે કાનૂન ભંગને કે દોંગાઈની સામે, દોંગાઈને ટેકો ન આપી શકીએ. મંતવ્યો જુદાં હોય તો પણ પ્રિય એવું સત્ય કહેવું જોઈએ. એમાં રાગદ્વેષ ન પેસી જાય. તેની કાળજી રાખવી. આખરે એ સત્ય ઊઘાડું થાય છે. ત્યારે મનમેળ પડી જાય છે. કોઈપણ સંસ્થાને પવિત્ર રાખવી હોય તો આંચકો લાગે તેવી ક્રિયા જરૂરી બને છે.
કોંગ્રેસનો દાખલો લઈએ. પેટા સંસ્થાઓ એક બીજાની સંબંધિત હોય છે. એક બીજાના દોષો પણ છાવરવા પડતાં હોય છે. જયારે ગ્રામસંગઠનોની સ્થિતિ ઊંચી છે. એનો સંબંધ સત્ય માટેના, સિદ્ધાંત માટેનો હોય છે.
પામે તેવો માણસ કોગ્રેસની ટોપી પહેરે તો તરત એમાં સ્થાન મળી જાય
સાધુતાની પગદંડી
૧૩૧