SearchBrowseAboutContactDonate
Page Preview
Page 130
Loading...
Download File
Download File
Page Text
________________ હજુ સુધી મળી શક્યો નથી. ડૉ. ભટ્ટનાગર વિશે લોકો જુદી જુદી વાતો કરે છે. ‘કારખાનેવાલોસે મિલતા જુલતા રહેતા હૈ' વગેરે કહ્યું પણ પંડિતજીની પાસે બીજો કોઈ વૈજ્ઞાનિક નુકસાન સાબિત કરે, અગર રંગ બતાવે. આમ ન બને તો એક પદવી પામેલા માણસના મંતવ્યનો કેમ ઇન્કાર કરી શકે ? વેજિટેબલ બંધ થાય તો ને મશીનરી નકામી ન પડે, એમ કામદારો બેકાર પણ ન બને. કેમકે સિર્ફ થીજવવાની ક્રિયા જે મશીનનો નાનો ભાગ કરે છે તેટલું જ નુકસાન થાય. મહારાજશ્રીએ કહ્યું નફો જાય ને ? તેમણે હા કહી. સતીષબાબુએ રંગ શોધ્યો. પણ ગરમ કરવાથી ઊડી જાય છે. બીજો શોધ્યો તે પસંદ નથી. ભટ્ટનાગર અને સતીષબાબુ બંને સમન્વય નથી કરી શક્યા એટલે સરકાર શું કરી શકે ? બીજી કેટલીક વાતો કરીને તેઓ છૂટા પડ્યા. તા. ૧૫-૧૧-૧૯૫૪ : બપોરના આશાદેવી આર્યનાયકમ મળવા આવ્યાં. તેઓ દેખાવમાં સામાન્ય લાગે પણ એમની વિદ્વતા ઘણી ઊંડી છે. તેમણે કહ્યું કે, મારા પિતાજી કાશીની વિદ્યાપીઠમાં જૈનત્ત્વના પ્રોફેસર હતા. મેં પણ થોડુંક જૈનત્વનો અભ્યાસ કર્યો છે. તેમની સાથે મહારાજશ્રીએ કેટલીક વાતો કરી. તેમાં ભૂમિદાન સાથે ગ્રામસંગઠનને જોડવાની અને રાજકારણને પણ સાથે લેવાની વાત કરી. એક સ્કેન્ડીનેવીયન બહેન મળવા આવ્યાં. એમણે પગે મુસાફરી કરવાનું સાંભળીને આશ્ચર્ય અનુભવ્યું. તેમને સમજાવ્યું કે પગે ચાલવાથી અને ઘે૨ ઘેર ભિક્ષા માગવાથી લોકસંપર્ક સારો થાય છે. અને સ્વાવલંબી રહેવાય છે. તેમને વિશ્વવાત્સલ્યનું ધ્યેય સાંભળી આનંદ થયો. પંડિત સુખલાલજી અને પરમાનંદ કાપડિયા મળવા આવ્યા. એમણે મુહપત્તી છોડી દેવાની વિનંતી કરી. બીજી પણ કેટલીક વાતો થઈ. ત્યારબાદ મહારાજશ્રીએ સંમેલનમાં હાજરી આપી. આજે સંમેલનની પૂર્ણાહુતિ થઈ. રાત્રે મધ્યભારતના કેટલાંક રાષ્ટ્રીય વિચારના ભાઈ-બહેનો મળવા આવ્યાં. તેમની સાથે જૈનધર્મની ક્રાંતિ વિશે ઠીક ઠીક વાતો થઈ. ૨૦ સાધુતાની પગદંડી 2)
SR No.008080
Book TitleSadhuta ni Pagdandi Part 5
Original Sutra AuthorN/A
AuthorManilal Patel
PublisherMahavir Sahitya Prakashan Mandir Ahmedabad
Publication Year2001
Total Pages336
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy