SearchBrowseAboutContactDonate
Page Preview
Page 91
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન ચિત્રકલ્પદ્રુમ ૭ પાઠના બેવડાવાથી કેટલીક વાર લેખકો લખતાં લખતાં પાઠને અક્ષરોને બેવડા લખી નાખે છે, એથી પણ લિખિત પુસ્તકોમાં અશુદ્ધિઓ અને પાઠભેદે જન્મે છે. જેમ કે સચ્ચપાળિUર્દિ-શ્વાસવાણહિં– જવવારપાળUહિં, તરસ-તરસવા ઈત્યાદિ. ૮ સરખા જણાતા પાઠોને કાઢી નાખવાથી કેટલીક વાર લેખકે, ગ્રંથના વિષયને નહિ સમજી શકવાને લીધે વારંવાર આવતા સહજ ફરકવાળા બંગકાદિવિષયક સાચા પાઠોને બેવડાઈ ગએલા સમજી કાઢી નાખે છે, એથી સમય જતાં લિખિત પુસ્તકોમાં ગંભીરગેટાળે પેદા થાય છે, જેને પરિણામે કેટલીક વાર ગ્રંથકારોને પણ મૂંઝાવું પડે છે. ઉપર જણાવ્યા મુજબનાં અનેક કારણોને લઈ લિખિત ગ્રંથમાં લેખકો તરફથી જન્મતા પાઠભેદે પૈકી જે પાઠે બંધબેસતા થઇ જાય તે પાઠાંતરનું રૂપ લે છે અને જે બંધ બેસતા ન થાય તે અશુદ્ધિરૂપે પરિણમી અધૂરિયા પંડિતની કસોટીએ ચડતાં વિરૂપ બની જવા ઉપરાંત વિદ્વાન શોધકોની મૂંઝવણમાં ઉમેરે કરનાર બને છે. જેમકે –તનિજરને બદલે તરોનિજર અને અધૂરિયા વિદ્વાનની કસોટીને પરિણામે તમોનિકાર, આ જ પ્રમાણે ચાલીનું સરેરાણી અને તેનું સંશોધન કરશો. આ પ્રમાણે ઉત્પન્ન થએલા અનેક પાઠે કેવળ વિદ્વાનની મૂંઝવણમાં ઉમેરો કરનાર જ બને છે. વિદ્વાને તરફથી ઉદ્દભવતી અશુદ્ધિઓ અને પાઠ જેમ લેખકે તરફથી પુસ્તકોમાં અનેકરીતે ભૂલો ઉત્પન્ન થાય છે તેમ ધૂણી યે વાર વિદ્વાનમાં ખપતા શોધક તરફથી પણ અનેકરીતે ભૂલ થવાના પ્રસંગે ઊભા થાય છે. જેમકેઃ ૧ શોધકેની નિરાધાર કલ્પના લેખક તરફથી ઉત્પન્ન થએલી અશુદ્ધિઓ કે પાઠભેદમાં બીજા પ્રત્યન્તરનો આધાર લીધા સિવાય માત્ર પોતાની કલ્પનાના બળે જ્યારે શોધકે સુધારવધારે કરે છે ત્યારે ઘણી જાતની અશુદ્ધિઓ અને પાઠાંતરો ઊભાં થાય છે. જેમકે–તારાનિર-તરનિરતમોનિજર, ગાસાતીમો– માણો–સેલાણી ઇત્યાદિ. ૨ અપરિચિત પ્રયોગ જ્યારે શોધકે પ્રાયોગિક જ્ઞાનમાં કાચા હોય છે અથવા ક્વચિત આવતા પ્રયોગથી પરિચિત નથી હતા ત્યારે ઘણી વાર સાચા પાઠેને પરાવર્તિત કરી પાઠભેદ કે અશુદ્ધિઓ ઉત્પન્ન કરે છે. જેમકેસ્બિળા વઢને બદલે સ્થિપાશવડ્યિો. આ સ્થળે પ્રાકૃતના રક્રિય પ્રયોગથી અપરિચિત શોધકે એ પ્રયોગને સુધારીને તેના બદલામાં વમચિ સુધાર્યું છે એ ઠીક નથી કર્યું. ૩ ખંડિત પાઠેને કલ્પનાથી સુધારવાને ઢીધે કેટલેક ઠેકાણે હસ્તલિખિત પ્રતિમાને પાઠપાનાં ચોંટી જવાને લીધે, ખરી જવાને લીધે કે ઉધેઈ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.008069
Book TitleJain Chitrakalpadrum
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherSarabhai Manilal Nawab
Publication Year1992
Total Pages158
LanguageGujarati
ClassificationBook_Gujarati & Art
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy