SearchBrowseAboutContactDonate
Page Preview
Page 72
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૧. ભારતીય જૈન શ્રમણ સંસ્કૃતિ અને લેખનકળા શરૂઆત કરી તે સંવતનું સૂચક આ ચિહ્ન છે, અર્થાત એ ચિહ્ન ૯૮૦ નો અંક છે; પરંતુ અમે આ બ્રાંત માન્યતા અને કલ્પના સાથે બીલકુલ મળતા નથી. ઉપર અમે ત્રણ વિભાગમાં જે ચિહ્નો બતાવી ગયા છીએ એમાં એવી એક પણ આકૃતિ નથી જે આપણને પ્રાચીન લિપિમાલાને આધારે ૯૮૦ અંકની કલ્પના કરવા પ્રેરે. ઊલટું તેમાંની ઘણીખરી આકૃતિઓ એકાક્ષરાત્મક હોઈએ કલ્પનાને પાયા વિનાની જ ઠરાવે છે. અત્યારની, લગભગ છ સાત સૈકાથી એકસરખી રીતે ચાલી આવતા ભલે મીંડા'ની આકૃતિ (ાના) એ, પ્રાચીન કારના ચિહમાંથી પરિવર્તન પામેલા કારની સાંકેતિક આકૃતિ છે. લેખકની ગ્રંથલેખનસમાપ્તિ જેમ લેખક ગ્રંથલેખનના આરંભમાં દેવ, ગુરુ, ધર્મ, ઇષ્ટદેવ વગેરેને લગતાં અનેક જાતનાં મંગલો ઉપરાંત “ભલે મીંડા' તરીકે ઓળખાતી એંકારની આકૃતિ લખે છે તેમ પુસ્તકલેખનની समातिभा शुभं भवतु, कल्याणमस्तु, मंगलं महाश्री:, लेखकपाठकयोः शुभं भवतु, शुभं भवतु संघस्य ઇત્યાદિ અનેક જાતના આશીર્વાદ ઉપરાંત ના, મઝા આ જાતનાં ચિહ્નો લખે છે. આ ચિહ્નો મુખ્યત્વે કરીને ગ્રંથની સમાપ્તિમાં જ લખાય છે, તેમ છતાં ઘણી વાર એ, ગ્રંથના વિષય, અધિકાર કે વિભાગની સમાપ્તિ થતી હોય ત્યાં પણ લખાય છે. આ ચિહ્ન શાનું હશે અને કયા દષ્ટિબિંદુને લક્ષમાં રાખી તેને ઉપયોગ કરાતો હશે એ માટે કશે. ઉલ્લેખ મળતું નથી. સામાન્ય નજરે જોતાં એ “છ અક્ષર જણાય છે, પરંતુ અક્ષરના મરોડનું ઔચિત્ય વિચારતાં એ “પૂર્ણકુંભનું ચિહ્યું હોવાની અમારી કલ્પના છે. પૂર્ણકુંભને આપણે ત્યાં દરેક કાર્યમાં મંગલ તરીકે પસંદ કરવામાં આવે છે, એ જ રીતે એની આકૃતિને અહીં અંત્ય મંગલ તરીકે પસંદ કરવામાં આવી હોય એમ અમારું અનુમાન છે. ઉપર જણાવેલ ચિહ્નથી અતિરિક્ત દg- કે, આ જાતનાં ચિહ્નો પણ પ્રાચીન પુસ્તકના અંતમાં મળે છે (જુઓ ચિત્ર નં.૧રમાં ૨૬૩ પાનાની છેલ્લી લીટીમાં). આ ચિહ્નો શાનાં છે એ અમે સ્પષ્ટ કહી શકતા નથી, પરંતુ અમને લાગે છે કે જેમાં કેટલીક પ્રાચીન હસ્તપ્રતિઓમાં ગ્રંથના ખાસ ખાસ વિભાગે–જેવા કે અધ્યયન, ઉદેશ, શ્રુતસ્કંધ, સર્ગ, ઉસ, પરિચ્છેદ, લંભક, કાંડ વગેરે–ની સમાપ્તિને એકદમ ધ્યાનમાં લાવવા માટે અનેક જાતની ચિત્રાકૃતિઓ આલેખવામાં આવે છે (જુઓ ચિત્ર નં. ૧૨–૧૩) તેમ આ પણ કોઈ પસંદ કરેલી અમુક જાતની ચિત્રાકૃતિઓ જ હોવી જોઈએ. લેખકનો એક પ્રયોગ મનલિપિમાં જેમ “12345 IIIIIIVV ઇત્યાદિ આ પ્રમાણેના અંકાત્મક (સંખ્યાસૂચક ચિહ્ન૫) અને અક્ષરાત્મક એમ બે જાતના અંકે વપરાય છે તેમ આપણ નાગરીલિપિના પ્રાચીન લહીઆઓ પણ તેમણે લખેલાં પુસ્તકોના પત્રાંક માટે અંકાત્મક અને અક્ષરાત્મક એમ બે જાતના અંકને પ્રયોગ કરતા હતા. આ બંને ય પ્રકારના અંકનો ઉપયોગ પ્રાચીન શિલાલેખો અને પ્રાચીન Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.008069
Book TitleJain Chitrakalpadrum
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherSarabhai Manilal Nawab
Publication Year1992
Total Pages158
LanguageGujarati
ClassificationBook_Gujarati & Art
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy