SearchBrowseAboutContactDonate
Page Preview
Page 60
Loading...
Download File
Download File
Page Text
________________ ભારતીય જૈન શ્રમણ સંસ્કૃતિ અને લેખનકળા અથવા લગભગ સીધાં જ લખે છે, જ્યારે બીજા લેખકો કાંઈક વધારે પડતાં ખેંચે છે. આ બધા અવાંતર લિપિભેદોને નહિ જાણનારા લિપિને આધારે સમયનિર્ણયનાં અનુમાન કરવામાં ઘણીવાર ભૂલ કરી બેસે છે. લિપિનું સૌષ્ઠવા 'अक्षराणि समशीर्षाणि, वर्तुलानि धनानि च । परस्परमलग्नानि, यो लिखेत् स हि लेखकः ॥' 'समानि समशीर्षाणि, वर्तुलानि धनानि च । मात्रासु प्रतिबद्धानि, यो जानाति स लेखकः ॥' 'शीषोंपेतान् सुसंपूर्णान् , शुभश्रेणिगतान् समान् । अक्षरान् वै लिखेद् यस्तु, लेखकः स वरः स्मृतः।।' આ લોકો લિપિ અને લેખક એ બંનેયના આદર્શના સુચક છે. અર્થાત અક્ષરે સીધી લીટીમાં ગોળ અને સઘન, હારબંધ છતાં એકબીજાને અડકે નહિ તેવા છૂટા, તેમજ તેનાં માથાં, માત્રા વગેરે અખંડ હોવા સાથે લિપિ આદિથી અંત સુધી બરાબર એકધારી લખાઈ હોય તેવા હોય તે તે “આદર્શ લિપિ' છે; અને આ જાતની લિપિ-અક્ષરે લખી શકે એ જ “આદર્શ લેખક કહી શકાય. જૈન જ્ઞાનભંડારેનું નિરીક્ષણ કરનારને એમ કહેવાની જરૂરત ભાગ્યે જ હોઈ શકે કે જૈન સંસ્કૃતિએ આદર્શ લેખક અને આદર્શ લિપિને ઉત્પન્ન કરવા અને તેને ટકાવી રાખવા કેટલી કાળજી રાખી હતી. લિપિનું માપ લિપિની સુંદરતાને અંગે ટૂંકમાં જણાવ્યા પછી તેને માટે એક ખાસ વસ્તુ કહેવાની બાકી રહે છે અને તે તેનું માપ છે. લગભગ વિક્રમની અગિયારમી સદીથી શરૂ કરી આજ સુધીમાં લખાએલ જે ઢગલાબંધ પુસ્તકો આપણી સામે હાજર છે તે તરફ બારીકાઈથી નજર કરતાં લિપિની સુંદરતાને નિહાળ્યા પછી આપણું ધ્યાન તેમાંના અક્ષરે અને લીટીલીટી વચ્ચેના અંતરના માપ તરફ જાય છે. પ્રાચીન લહિયાઓ અક્ષરનું માપ મોટું રાખતા અને લીટીલીટી વચ્ચેનું અંતર અક્ષરના માપ કરતાં અનુમાને ત્રીજા ભાગનું અથવા કેટલીકવાર તે કરતાં પણ ઓછું રાખતા (જુઓ ચિત્ર નં. ૫-૭-૯–૧૦–૧૧ વગેરે); જ્યારે અત્યારના લેખકે અને કેટલાક જૂના લહિયાઓ પણ અક્ષરનું અને લીટીલીટી વચ્ચેના અંતરનું માપ એકસરખું રાખે છે. આ કારણને લીધે એકસરખી ગણતરીની પંક્તિઓવાળી અને એકસરખા લાંબા પહોળા માપની પ્રાચીન હસ્તલિખિત પ્રતિઓના અક્ષર મેટા જણાશે, જ્યારે અર્વાચીન તે જ માપની હસ્તલિખિત પ્રતિઓમાંના અક્ષરે નાના દેખાશે. ચાલુ વીસમી સદીમાં કેટલાક પ્રાચીન પ્રણાલિનો વારસો ધરાવનારા યતિલેખકે ઉપર જણાવ્યા પ્રમાણે લીટીલીટી વચ્ચેનું અંતર ઓછું રાખી મેટા માપના અક્ષરે લખતા હોવા છતાં ચાલુ સદીમાં લિપિની એ પ્રથા અને એ વારસો એકંદર અદશ્ય થઈ ચૂકેલાં છે. અમાત્રા અને પડિમાત્રા લિપિના માપ સાથે સંબંધ ધરાવતી અઢમાત્રા ૨૭ અને ડિમાત્રાને અંગે અહીં કાંઈક ૬૭ “અઝમાત્રા અને પડિયાત્રા' એ શબ્દ પિકી પડિમાત્રા’ શબ્દ સર્વત્ર પ્રચલિત છે, પણ અગ્રભાગા' શબ્દ પ્રચલિત નથી. “અગ્રમાત્ર શબ્દપડિમાત્રા' શબ્દના અર્થને લક્ષ્યમાં રાખી અમે ઉપજાવી કાઢયો છે. પડિમાત્ર શબ્દ કયા શબ્દ ઉપરથી બન્યો છે અને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.008069
Book TitleJain Chitrakalpadrum
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherSarabhai Manilal Nawab
Publication Year1992
Total Pages158
LanguageGujarati
ClassificationBook_Gujarati & Art
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy