SearchBrowseAboutContactDonate
Page Preview
Page 56
Loading...
Download File
Download File
Page Text
________________ ભારતીય જૈન શ્રમણ સંસ્કૃતિ અને લેખનકળા ખરલમાં નાખી સાકરના પાણી સાથે ખૂબ ઘૂંટવો. પછી તે હિંગળકને ઠરવા દઈ ઉપર જે પીળાશપડતું પાણી તરી આવે તેને ધીરે ધીરે બહાર કાઢી નાખવું. અહીં પણ પીળાશપડતા પાણીને બહાર કાઢતાં એ ધ્યાનમાં રાખવું કે એ પાણીની સાથે હિંગળકને લાલાશપડતે શુદ્ધ ભાગ બહાર નીકળી ન જાય. ત્યાર બાદ તેમાં ફરીથી સાકરનું પાણી નાખી ઘૂંટવો અને ઠર્યા પછી ઉપર તરી આવેલા પીળાશપડતા પાણીને પૂર્વવત ફરી બહાર કાઢી નાખવું. આ પ્રમાણે જ્યાં સુધી પીળાશ દેખાય ત્યાં સુધી કર્યા કરવું. ધ્યાનમાં રહે કે આમ બે પાંચ વખત કર્યો નથી ચાલતું, પણ લગભગ દસથી પંદર વાર આ રીતે જોયા પછી જ શુદ્ધ લાલ સુરખ જેવો હિંગળાક તૈયાર થાય છે. ઘણે મટે ઘાણ હોય તે આથી પણ વધારે વાર હિંગળાકને ધે પડે છે. ઉપર પ્રમાણે છેવાઈને સ્વચ્છ થએલા હિંગળોકમાં સાકર અને ગુંદરનું પાણી નાખતા જવું અને લૂંટતા જવું. બરાબર એકરસ થયા પછી જે હિંગળક તૈયાર થાય તેને વડીઓ પાડી સુકવવો. કામ પડે ત્યારે જેવો જાડો પાતળા રંગ જોઈએ તે પ્રમાણે તેમાં પાણી નાખી તેને વાપર. આ બનાવટમાં ગુંદરનું પ્રમાણ ઓછુંવતું ન થાય એ માટે વચમાં વચમાં તેની પરીક્ષા કરતા રહેવું; એટલેકે તૈયાર થતા હિંગળોકના આંગળી વડે એક પાના ઉપર ટીકા કરી એ પાનાને ભેજવાળી જગ્યામાં (પાણીઆરામાં અગર પાણીની હવાવાળા ઘડામાં) બેવડું વાળી મૂકવું. જે તે પાનું એકાએક ન ચોંટે તે ગુંદરનું પ્રમાણ વધારે નથી થયું એમ સમજવું અને એ ટીકાને સુકાઈ ગયા પછી નખથી ખતરતાં સહજમાં ઉખડી જાય તે ગુંદર નાખવાની જરૂરત છે, એમ જાણવું. અષ્ટગંધ ૧ અગર ૨ તગર ૩ ગેરેચન ૪ કસ્તૂરી પ રક્તચંદન ૬ ચંદન ૭ સિંદુર અને ૮ કેસર, આ આઠ સુગંધી દ્રવ્યોના મિશ્રણથી અષ્ટગંધ બને છે. અથવા ૧ કર ૨ કસ્તૂરી ૩ ગેરેચન જ સંઘરફ ૫ કેસર ૬ ચંદન ૭ અગર અને ૮ ગેહૂલા, આ આઠ કિંમતી દ્રવ્યના મિશ્રણથી પણ અષ્ટગંધ બનાવવામાં આવે છે. યક્ષકર્દમ ૧ ચંદન ૨ કેસર ૩ અગર ૪ બરાસ ૫ કસ્તૂરી ૬ ભરચકકેલ ૭ ગોરોચન ૮ હિંગલોક ૯ રdજણી ૧૦ સોનેરી વરક અને ૧૧ અંબર, આ અગિયાર સુગંધી અને બહુમૂલાં દ્રવ્યોના મિશ્રણથી યક્ષકર્દમ બને છે. અષ્ટગંધ અને યક્ષકદમ આ બંનેયને ઉપયોગ મંત્રતંત્ર-મંત્રાદિ લખવા માટે થાય છે. “મષી’ શબ્દનો પ્રયોગ ઉપર અમે કાળી, લાલ, સોનેરી, રૂપેરી શાહીઓ બતાવી ગયા, એને આપણે ત્યાં મથી એ નામથી ઓળખવામાં આવે છે. ખરું જોતાં “મણી” શબ્દને વાચ્યાર્થ મેષ—કાજળ થાય છે, એટલે ૬૦ સાકરનું પાણી ઘણી સાકર નાખીને ન બનાવવું પણ મધ્યમસર સાકર નાખવી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.008069
Book TitleJain Chitrakalpadrum
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherSarabhai Manilal Nawab
Publication Year1992
Total Pages158
LanguageGujarati
ClassificationBook_Gujarati & Art
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy