SearchBrowseAboutContactDonate
Page Preview
Page 43
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૨ જૈન ચિત્રકલપમ ભેગળા જેવા બનાવવામાં આવે છે. કપડું એ સ્વાભાવિક રીતે લાંબા તાકા રૂપ હોય છે, એટલે તેને જેવડે લાંબા-પહોળા લીરે જોઈએ તેવો લઈને, તેને ઉપર કહ્યા પ્રમાણે ખેળ લગાડીને ભુંગળારૂપે બનાવવામાં આવે છે. આ ટિપ્પણાંઓને ઉપયોગ શાસ્ત્રીય વિષયેના પ્રકીર્ણક વિસ્તૃત સંગ્રહ, બારવતની ટીપ–વાદી, આચાર્યોને ચોમાસાની વિજ્ઞપ્તિ કે સાંવત્સરિક ક્ષમાપના કરવા માટેના વિજ્ઞપ્તિપટો તેમજ ચિત્રપટ આદિ લખવા માટે કરવામાં આવે છે. કાષ્ઠપટ્ટિકા લેખનના સાધન તરીકે કાષ્ઠપદિક–લાકડાની સાદી કે રંગીન પાટી–પણ વપરાતી હતી. જેમ જૂના જમાનામાં વ્યાપારી લોકે તેમના રોજિંદા કાચા નામા વગેરેને પાટી ઉપર લખી રાખતા હતા તેમ આપણા ગ્રંથકારે ગ્રંથરચના કરતી વખતે પોતાના ગ્રંથના કાચા ખરડાઓ લાકડાની પાટી ઉપર કરતા હતા અને બરાબર નક્કી થયા પછી તે ઉપરથી પાકી નકલો ઉતારવામાં આવતી હતી. કાપદિકાઓને સ્થાયી ચિત્રપટ્ટક કે મંત્ર-યંત્રપટો ચિતરવા માટે ઉપયોગ થતો હતો. એ સિવાય પાંચ કક્કા (જુઓ ચિત્ર નં. ૯-૧૦) ચીતરેલી જૂની કાષ્ટપટ્ટિકાઓ પણ જોવામાં આવે છે. (૨) જે વડે લિપિ લખી શકાય તે–લેખણ, જુજવળ આદિ જે વડે લિપિ લખી શકાય એ જાતનાં સાધનમાં સાઇ, બરૂની લેખણ, જુજવળ, ઓળિયું વગેરેનો સમાવેશ થાય છે. કર્ણાટક, સિંહલ, બ્રહ્મદેશ આદિ દેશમાં જ્યાં તાડપત્ર ઉપર કોતરીને પુસ્તકો લખવામા આવે છે ત્યાં લખવાના સાધન તરીકે અણીદારસોઈયાની જરૂરત હોય છે; પરંતુ મુખ્યતયા બ્રાહ્મી દેવનાગરી લિપિમાં લખાએલાં જેને પુસ્તક માટેએ લિપિને મરોડ જુદા પ્રકારનો હોઈ તેને સોઈયાથી કોતરીને લખવી શક્ય ન હોવાથી, જૈન સંસ્કૃતિએ લખવાના સાધન તરીકે ઉપરોક્ત સેઇયાથી અતિરિક્ત બરૂની લેખણે પસંદ કરી છે; અને લીટીઓ દોરવા માટે તેણે જુજવળ, ળિયું, કાંબી આંકણું વગેરે સાધને ઊભાં કર્યા છે. કેટલાક મંત્ર, તંત્ર, યંત્ર આદિ લખવા માટે સોના-ચાંદીની કે દર્ભ વગેરેની કલમો પણ કામમાં લેવામાં આવે છે. લેખણ માટે બરૂ અને તેની પરીક્ષા બરૂ' શબ્દ આપણામાં મોગલ સાથેના સહવાસને કારણે પેઠે છે. આપણે ત્યાં એને કાંઠે-કાઠા9 તરીકે ઓળખવામાં આવે છે. લેખણો માટે અનેક જાતનાં બરૂઓ પસંદ કરવામાં ४६ पट्टिकातोऽलिखच्चेमां, सर्वदेवाभिधो गणिः । आत्मकर्मक्षयायाथ, परोपकृतिहेतवे ॥१४॥ उत्तराध्ययनटीका नेमिचन्द्रीया (रचना संवत् ११२९) ખાતાનના પ્રદેશમાંથી ખરેષ્ઠી લિપિમાં લખાએલી કેટલીક પ્રાચીન કાષ્ઠપટ્ટિકાઓ મળી આવી છે. ૪૭ સંવત ૧૫૯૦માં લખાએલી કલ્પસૂત્રની પ્રતિના અંતમાં પુસ્તકને લગતા કેટલાંક ઉપકરણો–સાધન-નાં નામે છે તેમાં કાંઠાનું નામ મળે છેબાજુટ ૧, પાટીઉં ૨, પાટલું ૩, ક૫ડવું ૪, ચલેટઉં ૫, મુહપતી ૬, ઠવણી ૭, ઝલમલ ૮, વીટાંગણું ૯, કલ્પ ૧૦,પુઠાં ૧૧, કાંબી ૧૨, કુંપલું ૧૩, નુકારવાલી ૧૪, કાંડું ૧૫, દોર ૧૬, ઇતિ નંગસંખ્યા. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.008069
Book TitleJain Chitrakalpadrum
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherSarabhai Manilal Nawab
Publication Year1992
Total Pages158
LanguageGujarati
ClassificationBook_Gujarati & Art
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy