SearchBrowseAboutContactDonate
Page Preview
Page 41
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૦. જૈન ચિત્રકલ્પદ્રુમ જેવામાં આવે છે. જેમ આજકાલ જુદાજુદા દેશમાં નાના મેટા, ઝીણા જાડા, સારા નરસા આદિ અનેક જાતના કાગળો બને છે તેમ જૂના જમાનાથી માંડી આજ પર્યત આપણા દેશના દરેક વિભાગમાં અર્થત કાશ્મીર, દિલ્હી, બિહારના પટણાં શાહાબાદ આદિ જિલ્લાઓ, કાનપુર, સુડા (મેવાડ), અમદાવાદ, ખંભાત, કાગપુરા (દેલતાબાદ પાસે) આદિ અનેક સ્થળોમાં પોતપોતાની ખપત અને જરૂરીઆતના પ્રમાણમાં ૪૨કાશ્મીરી, ભુંગળીઆ, અરવાલ, સાહેબખાની, અમદાવાદી, ખંભાતી, શણીઆ, દોલતાબાદી આદિ જાતજાતના કાગળો બનતા હતા? અને હજુ પણ ઘણે ઠેકાણે બને છે; તેમાંથી જેને જે સારા ટકાઉ અને માફક લાગે તેનો તેઓ પુસ્તક લખવા માટે ઉપયોગ કરતા. આજકાલ આપણા ગૂજરાતમાં પુસ્તકો લખવા માટે કાશ્મીરી ૪૪ કાનપુરી, અમદાવાદ આદિ કાગળોને ઉપયોગ થાય છે, તેમાં પણ અમદાવાદમાં બનતા કાગળો વધારે પ્રમાણમાં વપરાય છે. કાગળનાં પાનાં કાગળ આખા હોય તેમાંથી જોઇતા માપનાં પાનાં પાડવા માટે આજે આપણી સમક્ષ જેમ પેપરકટર મશીનો–કાગળ કાપવાનાં મંત્રા–વિદ્યમાન છે તેમ જૂના જમાનામાં તેવાં ખાસ યંત્રો ન હતાં, તેમજ આજકાલ જેમ જે સાઈઝ–માપના જેટલા કાગળ જોઈએ તેટલા એકીસાથે મળી શકે છે તેમ પણ ન હતું, એટલે ગમે તે માપના કાગળોમાંથી જોઈતા માપનાં પાનાં પાડવા માટે તે કાગળને હિસાબસર વાળવામાં આવતા હતા અને લોઢા વગેરેના તૈયાર કરેલા તે તે માપના પતરાને ૪૧ તા. ૨૪ માર્ચ ૧૯૩પના ‘હરિજનબંધુ'ના પુ. ૩ અંક ૨ માં બિહારમાં કાગળને ઉદ્યોગ” શીર્ષક લેખમાં બહારના પટણા, શાહાબાદ, અરવલ વગેરે જુદા જુદા પ્રદેશમાં બનતા જથાબંધ કાગળને અંગે જે ટૂંકી ને આપવામાં આવી છે એ ઉપરથી તેમજ બીજી નેને આધારે આપણને ખ્યાલ આવી શકે છે કે ભારતવર્ષના જુદાજુદા વિભાગે અને નગરોમાં કાગળને ઉદ્યોગ કેટલા કૂફ હો! ૪૨ કાગળનાં નામે કેટલીકવાર જે ગામમાં કે પ્રદેશમાં તે બનતા હોય તે ઉપરથી પડતાં અને કેટલીકવાર તેના માવામાં પડતી મુખ્ય ચીજને લક્ષ્યમાં રાખીને પડતાં, કેટલીકવાર એ નામે એના બનાવનારના નામથી પ્રચલિત થતાં, જ્યારે કેટલીકવાર એ તેના ગુણ-સ્વભાવ ઉપરથી પણ ઓળખાતા. ૪૩ દેશી કાગળ કેમ બનતા એની ટૂંકમાં ને સરસ માહિતી મેળવવા ઇચ્છનારને તા. ૨૫ નવેમ્બર ૧૯૩૪ના “હરિજનબંધુ'ના પુ. ૨ અંક ૩૭માં સ્વામી આનંદે લખેલો “ખાદી કાગળ” શીર્ષક લેખ જેવા ભલામણ છે. ૪૪ કાશમીરી કાગળો રેશમના કૂચામાંથી બનતા હાઈ અત્યંત કમળ તેમજ એટલા મજબૂત હોય છે કે તેને બે બાજુથી પકડી તેરથી આંચકા મારવામાં આવે તો પણ તે એકાએક ફાટતા નથી. આ કાગળોમાં જે સૌથી સારા અને ટકાઉ હોય છે એ બધાયને કાશ્મીરની સરકાર વીણીવીણીને પિતાના દફતરી કામ માટે ખરીદી લે છે એટલે ત્યાંની સરકાર સાથે લાગવગ પહોંચી શકતી હોય તે જ અમુક પ્રમાણમાં એ કાગળે ત્યાંથી મળી શકે છે. ૪૫ અમદાવાદી કાગળની મુખ્ય ઓળખ એ છે કે તેને પ્રકાશ સામે રાખીને જોતાં તેમાં ઝીણાં ઝીણાં સંખ્યાબંધ કાણાં દેખાશે. આ કાણાં ખાવાનું કારણ એ કહેવાય છે કે એ કાગળાના માવાને સાબરમતી નદીના પાણીથી ધોવામાં આવે છે, એટલે એ પાણી સાથે ભળેલાં રેતીનાં ઝીણાં રજકણો એ માવામાં ભળી જાય છે, જે કાગળ બન્યા પછી સુકાઈને સ્વયે છૂટાં પડી જાય છે અને બદલામાં તેમાં ઝીણાં ઝીણાં કાણાં દેખાય છે. આ કાગળો ટકાઉ હેઈ તેને વ્યાપારી લો કે ચોપડા માટે પણ વાપરતા-વાપરે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.008069
Book TitleJain Chitrakalpadrum
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherSarabhai Manilal Nawab
Publication Year1992
Total Pages158
LanguageGujarati
ClassificationBook_Gujarati & Art
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy