SearchBrowseAboutContactDonate
Page Preview
Page 12
Loading...
Download File
Download File
Page Text
________________ | ગતિ વીર વર્ષમાનસ્ય પ્રવFI ભારતીય જૈન શ્રમણ સંસ્કૃતિ અને લેખનકળા ભારતીય જન મણસંસ્કૃતિ અને તેને વિકાસ વિશ્વમુખી જૈન શ્રમણસંસ્કૃતિએ ભારતીય આર્ય સંસ્કૃતિના સાર્વભૌમ વિકાસમાં કે છે અને કેટલો વિશાળ ફાળો આપ્યો છે, એની વિવેચના કરવાનું આ સ્થાન નથી; તેમ છતાં પ્રસંગે પાત એટલું જણાવવું ઉચિત મનાશે કે જનસંખ્યાની દૃષ્ટિએ ઈતર સંસ્કૃતિઓ કરતાં સદાને માટે ટૂંકા પ્રમાણમાં રહેવા સરજાએલી જૈન સંસ્કૃતિએ જગત સમક્ષ પોતાનું અસ્તિત્વ ટકાવી રાખ્યું છે એ એના સર્વદેશીય વિકાસને આભારી છે. ત્યાગમાર્ગના પવિત્ર આદર્શની ઉપાસના કરનાર જૈન શ્રમણસંસ્કૃતિએ એક કાળે સમગ્ર ભારતમાં પિતાને પસાર કર્યો હતો, અને ત્યારે, કહેવામાં આવે છે કે, એની જનસંખ્યા ચાલીસ કરોડની આસપાસ પહોંચી હતી. અમને લાગે છે કે આ માન્યતામાં એક મીંડું વધી ગયું છે. જે અમારું આ કથન સંગત હોય તે, જૈન ધર્મના વિસ્તાર માટે મહારાજા શ્રીસંપ્રતિરાજ અને १ 'कप्पइ निग्गंथाण वा निग्गंथीण वा पुरथिमेणं जाव अंग-मगहाओ एत्तए, दक्खिणेणं जाव कोसंबीओ, पञ्चत्थिमेणं जाव थूणाक्सियाओ, उत्तरेणं जाव कुणालाविसयाओ एत्तए । एताव ताव कप्पइ । एताव ताव आरिए खेत्ते । णो से कप्पइ एत्तो बाहिं । तेण परं जत्थ नाण-दसण-चरित्ताई उस्सप्पंति-त्ति बेमि ५०॥' ઉપરોકત વઘતૂત્રના ઉદ્દેશ ૧માંના ૫૦મા સત્રમાં જેન નિગ્રંથ નિગ્રંથીઓના વિહારોગ્ય આર્યક્ષેત્ર વિભાગ દર્શાવવામાં આવ્યો છે, એ શ્રમણ ભગવાન મહાવીરના સમયને લક્ષીને છે. તે પછી અર્થાત્ મહારાજા શ્રીસંપ્રતિના જમાના પછી એ વ્યવસ્થા બદલાઈ છે અને બદલાઈ શકે એ દર્શાવવા માટે સૂત્રકારે તેમાં વરં ઈત્યાદિ સૂત્રાશ ઉમેર્યો છે, જેની વ્યાખ્યામાં ટીકાકારે નીચે પ્રમાણે જણાવ્યું છે તતઃ ઘર” વરિષ્ય સદ્ભૂતકૃતિચિ ચત્ર જ્ઞાન-ન-વારિત્ર “સ્જરિત’ - તિમાસનિત્ત તત્ર વિર્તવ્યમ્ ! અર્થાત ભગવાન મહાવીરે જે ક્ષેત્રની વ્યવસ્થા કરી છે તેથી બહારના દેશોમાં પણ, સંપ્રતિરોજથી લઈ, જ્યાં જ્ઞાન દર્શન અને ચારિત્રમાં વધારો થાય છે ત્યાં પણ વિહરી શકાય.” વિભાગ ૩ પત્ર ૯૦૭. આ સૂત્રાશને ધ્યાનમાં રાખી ભાષ્યકા– 'आणादिणो य दोसा, विराहणा खंदएण दिटुंतो । एतेण कारणेणं, पडुच कालं तु पण्णवणा ॥ ३२७१ ॥ वृत्तिः-आझादयश्च दोषाः। विराधना चात्मसंयमविषया। तत्र च स्कन्दकाचार्येण दृष्टान्तः कर्त्तव्यः। अत एतन कारणेन बहिर्न गन्तव्यम् । एतद् भगवद्वमानस्वामिकालं प्रतीत्योक्तम् । इदानीं तु सम्प्रतिनृपतिकालं Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.008069
Book TitleJain Chitrakalpadrum
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherSarabhai Manilal Nawab
Publication Year1992
Total Pages158
LanguageGujarati
ClassificationBook_Gujarati & Art
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy