SearchBrowseAboutContactDonate
Page Preview
Page 40
Loading...
Download File
Download File
Page Text
________________ ભવન દેવતા-શોય સૂત્ર-૪૩ ભવન દેવતા થોય = સૂત્ર-વિષય : આ સ્તુતિમાં ભવનદેવતા નિમિત્તે કાયોત્સર્ગનું વિધાન અને ત્યારપછી સ્વાધ્યાયરત સાધુને ભવનદેવતા સહાયક બનો એવા પ્રકારની સ્તુતિ કરવામાં આવી છે. - સૂત્ર-મૂળ : ભવણદેવયાએ કરેમિ કાઉસ્સગ્યું. અન્નત્થ જ્ઞાનાદિગુણ-યુતાનાં, નિત્યં સ્વાધ્યાય-સંયમ-રતાનામ્ વિધાતુ ભવનદેવી, શિવં સદા સર્વસાધૂનામ્ = સૂત્ર-અર્થ : ભવનદેવતાની આરાધનાર્થે હું કાયોત્સર્ગ કરું છું. “અન્નત્થ’ જ્ઞાનાદિ ગુણોથી યુક્ત, નિત્ય સ્વાધ્યાય અને સંયમમાં આસક્ત એવા સર્વ સાધુઓનું ભવનદેવી કલ્યાણ કરે. – શબ્દજ્ઞાન : ભવણદેવયાએ - ભવનદેવતાથૈ, ભવનદેવીની આરાધના નિમિત્તે કરેમિ - હું કરું છું જ્ઞાનાદિ ગુણ - જ્ઞાનાદિ- જ્ઞાન, દર્શન, ચારિત્ર ગુણે કરીને યુતાનામ્ - યુક્ત, સહિત-તેનું સ્વાધ્યાય સ્વાધ્યાય, સજ્ઝાય - : રતાનામ્ - લીન, આસક્તનું ભવનદેવી - ભવનની દેવી સહા નિરંતર, હંમેશા – વિવેચન : - ૩૯ કાઉસ્સગ્ગ - કાયોત્સર્ગને નિત્યં - નિત્ય, હંમેશા, રોજ સંયમ - સંયમને વિશે વિદધાતુ - કરો શિવં - શિવ, કલ્યાણ સર્વસાધૂનામ્ - બધા સાધુઓનું ભવન દેવતા (કે ભુવનદેવતા) નામથી પ્રસિદ્ધ એવી આ સ્તુતિમાં પહેલા ભવનદેવતાની આરાધના નિમિત્તે કરાતા કાયોત્સર્ગનું વિધાન છે. પછી આઠ શ્વાસોચ્છવાસ પ્રમાણ એવો એક નવકારનો કાયોત્સર્ગ કરીને આ થોય બોલાય છે. તેનું શબ્દશઃ વિવેચન આ પ્રમાણે છે ૦ મવળવેવાણ - ભવનદેવતાની આરાધનાર્થે, ભવનદેવી નિમિત્તે “ક્ષેત્ર દેવતા અંતર્ગત્ એવા ભવનદેવતા'' એવો અર્થ અહીં વિચારી શકાય, કેમકે ભવનદેવતાનો ભવનપતિ દેવતા અર્થ બંધ બેસતો નથી.
SR No.008046
Book TitlePratikramana sutra Abhinava Vivechan Part 4
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherArhant Shrut Prakashan
Publication Year2005
Total Pages306
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, & Ritual
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy