SearchBrowseAboutContactDonate
Page Preview
Page 28
Loading...
Download File
Download File
Page Text
________________ સુઅદેવયા હોય ૨૭ સૂત્ર-૪) સુઅવયા થોય શ્રુતદેવતા સ્તુતિ S સૂત્ર-વિષય : આ સૂત્રમાં મૃતદેવતાને આશ્રીને બોલાતી એક ગાથાની થાય છે, જેમાં જ્ઞાનાવરણીય કર્મના ક્ષય માટે પ્રાર્થના કરવામાં આવી છે. સૂત્ર-મૂળ :– સુઅદેવયાએ કરેમિ કાઉસ્સગંગ. અન્નત્થ. ૦ સુઅદેવયા ભગવાઈ, નાણાવરણીઅ-કમ્પ-સંઘાય; તેસિ ખવેઉ સયય, જેસિ સુઅ-સાયરે ભરી. v સૂત્ર-અર્થ : જેઓની મૃતરૂપ સમુદ્રમાં નિરંતર ભક્તિ છે, તેઓના જ્ઞાનાવરણીય કર્મના સમૂહને ભગવતી શ્રુતદેવી ક્ષય કરો. - શબ્દજ્ઞાન : સુઅદેવયાએ - શ્રત દેવતા અર્થે, મૃતદેવીની આરાધના નિમિત્તે કરેમિ - હું કરું છું કાઉસ્સગ્ગ - કાયોત્સર્ગને સુઅદેવયા - મૃતદેવતા ભગવાઈ - ભગવતી, પૂજ્ય નાણાવરણીય - જ્ઞાનાવરણીય કમ્પસંઘાય - કર્મના સમૂહને તેસિં - તેઓના ખવેઉ - ક્ષય કરો સયય - હંમેશા જેસિં - જેઓની સુઅસાયરે - શ્રુતસાગરને વિશે ભરી - ભક્તિ 1 વિવેચન : મૃતદેવતાના આરાધન અર્થે કરાતા કાયોત્સર્ગ માટેનું વિધાન અને એક નવકારનો કાયોત્સર્ગ કર્યા પછી બોલાતી “થોય'નું કથન કરતું આ એક અતિ નાનું સૂત્ર છે. જે “સુઅદેવયાના નામે પ્રસિદ્ધ છે. તેમાં પહેલા કાયોત્સર્ગ કરું છું એ પ્રમાણેનું કથન છે. ત્યારપછી કાયોત્સર્ગ કર્યા બાદ નોરંતુ બોલવાપૂર્વક બોલાતી સ્તુતિનું શબ્દશઃ વિવેચન આ પ્રમાણે છે– • સુવિયા - શ્રત દેવતાને અર્થે, મૃતદેવી આરાધના નિમિત્તે. ૦ યુગ એટલે શ્રત. સર્વજ્ઞ પ્રણિત અને ગણધર ગુંફિત સૂત્ર-આગમ, જે પ્રવચન-સિદ્ધાંત-સમય આદિ નામોથી ઓળખાય છે.
SR No.008046
Book TitlePratikramana sutra Abhinava Vivechan Part 4
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherArhant Shrut Prakashan
Publication Year2005
Total Pages306
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, & Ritual
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy