SearchBrowseAboutContactDonate
Page Preview
Page 28
Loading...
Download File
Download File
Page Text
________________ વાંદણા/ગુરુવંદન સૂત્ર-વિવેચન ૨૭ ૧૦ની વૃત્તિમાં પણ છે.) ૦ આ બંને પ્રશ્નોની ઉચ્ચારણ પદ્ધતિ અને આવર્ત ક્રિયા – “અ-હો-કા-યં-કા-ય' પદોની માફક “જતા બે જવણિજ્જ ચ ભે"ની પણ વિશિષ્ટ ઉચ્ચારણ પદ્ધતિ છે, આ પદો બોલતી વેળા પણ ત્રણ આવર્ત થાય છે. 1' બંને હથેળી ઊંધી રાખી, રજોહરણની દસીનો (ગુરુના ચરણનો) સ્પર્શ કરતા પણ અનુદાત્ત સ્વરે બોલવો. ત્તા - બંને હથેળી ચત્તી રાખી લલાટ તરફ લઈ જતાં વચ્ચે અટકીને સ્વરિત સ્વરે આ વર્ણ બોલવો. અડીં અવળી હથેળી સવળી કરી લલાટ તરફ લઈ જતાં - આ પ્રમાણે જ વિધાન છે. પણ હાથને ઘુમાવવાનું કે “ગુરુ ચરણની ધારણારૂપ” રજોહરણથી દૂર લઈ જવાનું કોઈ વિધાન નથી, પણ રજોપ્ટરણથી લલાટ વચ્ચે સીધું જ હથેળી સવળી કરવી તે પ્રકારનું વિધાન છે. માટે તે પ્રમાણે જ આવર્ત કરવા મે - દૃષ્ટિ ગુરુ સન્મુખ રાખી બંને હાથની દશે આંગળીઓથી લલાટના મધ્યભાગને સ્પર્શતા ઉદાત્ત સ્વરથી આ વર્ણ બોલે. આ જ રીતે અનુદાત્ત સ્વરે, ચરણ સ્થાપનાને સ્પર્શતા “G” બોલે, સ્વરિત સ્વરે મધ્યમાં ચત્તા હાથે ‘વ’ બોલે, ઉદાત સ્વરે લલાટે સ્પર્શતા “જિ” બોલે. એ રીતે બીજું આવર્ત પુરું થશે. ત્યારપછી ત્રીજા આવર્તમાં પણ પહેલા આવર્તની માફક - અનુદાત્ત સ્વરપૂર્વક બોલે, ત્યારે બંને હથેળી અવળી રાખીને રજોહરણને સ્પર્શે. પછી હથેળી રજોહરણ સન્મુખ જ સવળી કરે અને લલાટ તરફ લઈ જતાં મધ્યમાં ‘વ’ વર્ણ સ્વરિત સ્વરે બોલે, પછી ઉદાત્ત સ્વરે અને લલાટમાં સ્પર્શતા “એ” બોલે એ પ્રમાણે બીજા ત્રણ આવર્ત પુરા થશે. ૦ છ આવર્ત - ગુરુવંદન જેને વાંદણા કહે છે, તે હંમેશા બે વખત સાથે જ અપાય છે. પહેલી વખતના વંદન “અહોકાયંકાય'માં ત્રણ આવર્ત થશે અને ‘જવણિજે ચ ભે'માં ત્રણ આવર્ત થશે. એ રીતે કુલ છ આવર્ત થશે. બે વખતના વાંદણામાં છ અને છ મળીને કુલ બાર આવર્ત થશે. (આ પ્રમાણે આવશ્યકવૃત્તિમાં તથા ગુરુવંદન ભાષ્ય-વિવેચનમાં જણાવે છે. જો કે પ્રતિક્રમણ સૂત્ર પ્રબોધ ટીકામાં આવર્તની ગણના જુદી રીતે બતાવેલ છે.). ૦ હવે વંદનસૂત્રનું છેલ્લું અને છઠું સ્થાન બતાવે છે. તે આ પ્રમાણે – અપરાધ ક્ષમાપન સ્થાન'. વંદનસૂત્રમાં “ખામેમિ-ખમાસમણો'થી આરંભીને “અપ્પાણે વોસિરામિ' પદોથી જ્યાં વંદન સૂત્ર પૂરું થાય છે, ત્યાં સુધીનો સમગ્ર પાઠ “અપરાધ ક્ષમાપના સ્થાન" નામે ઓળખાય છે. – તેનું વિવેચન કરતા પહેલા બે વખત કરાતા વંદન-વાંદણા વિશે એક સ્પષ્ટતા જરૂરી છે – વાંદણા બે વખત સાથે અપાય છે. તેમાં પહેલી વખત વાંદણા આપે ત્યારે અવગ્રહમાં પ્રવેશ કરી વાંદણા આપી હવે પછી કહેવાનાર “માવર્સીિગાઈ' પદ બોલીને
SR No.008045
Book TitlePratikramana sutra Abhinava Vivechan Part 3
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherArhant Shrut Prakashan
Publication Year2005
Total Pages305
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, & Ritual
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy