SearchBrowseAboutContactDonate
Page Preview
Page 53
Loading...
Download File
Download File
Page Text
________________ પર પ્રતિક્રમણ સૂત્ર વિવેચન૨ તે મુજબ (સિદ્ધિગતિ નામના સ્થાનને) પ્રાપ્ત થયેલાને “એવો સળંગ અર્થ થશે. આવા પૂર્વોક્ત વિશેષણોયુક્ત અરિહંત પરમાત્માને નમસ્કાર થાઓ-એવું કહે છે. -૦- આ સૂત્રમાં આદિમાં અને અંતમાં નમસ્કાર કર્યો છે. તેથી વચ્ચેના પદોમાં પણ બધે નમસ્કાર સંબંધ જોડવો. વળી ભયોને જિતનારા પણ એ અરિહંતો જ છે, બીજાઓ નહીં - એમ પ્રતિપાદન કરવા ઉપસંહાર કરતાં કહે છે – “નમો જિહાણ જિઅભયાણ.” • નમો નિખi જિ-ભચાi ભયોને જિતનાર એવા જિનોને નમસ્કાર હો. અહીં જે “નમો’ શબ્દ છે, તેનું વિવેચન સૂત્ર-૧ “નમસ્કાર મંત્ર'માં થઈ ગયેલ છે અને નિન શબ્દનું વિવેચન સૂત્ર-૮ લોગસ્સ સૂત્ર'માં થઈ ગયેલ છે. આ સૂત્રમાં પણ નમો અને નિખા બંને શબ્દો આ પહેલા આવી ગયા છે. નિન-મયા - ‘અભયદયાણં' શબ્દની વ્યાખ્યામાં “મય' શબ્દનો અર્થ અને તેના સાત પ્રકારોનું વર્ણન કરાયેલ છે. નિમ-મયા એટલે આવા સર્વે ભયોને જિતનાર. સંસારરૂપ પ્રપંચથી નિવૃત્ત થયેલા હોવાથી કોઈપણ ભય જેઓને નથી, સર્વે ભયોનો જેઓએ ક્ષય કરેલો છે – એવા અરિહંત ભગવંતોને નમસ્કાર થાઓ. ( સમવાય, રાયuસેણીય, જીવાજીવાભિગમ એ ત્રણ આગમ સૂત્રોમાં નમુત્થણ માં આ નમો નિ નિગમયા પાઠ જોવા મળતો નથી. તેમજ તેની પૂર્વે સંપત્તાપ શબ્દ છે, ત્યાં પણ શસ્તવરૂપ આગમ પાઠોમાં બધે “સંપાવિહામ' એવો પાઠ જોવા મળે છે.) • ને ૩ ૩ સિદ્ધાં. વાળી ગાથા. – આ ગાથા અત્રે નમુત્થણે સૂત્રમાં અંતે છે જ. પણ આગમ સૂત્રોમાં કોઈપણ સ્થાને નમુત્થણમાં અંતે જોવા મળતી નથી. કલ્પસૂત્રમાં પણ નથી. લલિત વિસ્તરામાં પણ નોંધાયેલ નથી. યોગશાસ્ત્રમાં ત્રીજા પ્રકાશમાં વિવરણમાં જણાવે છે કે, “પ્રણિપાતદંડક પછી (અર્થાત્ નમો નિણાાં નિરામયા પદ પછી) અતીત, અનાગત, વર્તમાન જિનોને વંદન કરવા માટે કેટલાંક આ ગાથાને બોલે છે. - જિનદત્તસૂરિ રચિત ચૈત્યવંદન કુલકની વૃત્તિમાં આ ગાથાના સંબંધમાં જણાવ્યું છે કે, જે 31 પ્રજ્ઞા સિદ્ધ ગાથા આગમ સંબંધીની ન હોવા છતાં પણ પૂર્વશ્રતધરે રચેલી હોવાથી...તે ગાથાને બોલે. જિનચંદ્રસૂરિના શિષ્ય તરુણપ્રભસૂરિએ વિ.સં. ૧૪૧૧માં રચેલ પડાવશ્યક વૃત્તિમાં આ ગાથાના કર્તા વિષયક નોંધ કરતા તેને ઉમાસ્વાતિએ રચેલી છે, તેવું જણાવે છે. જ્યારે સંવત ૧૪૬૮માં વર્તમાનસૂરિ રચિત આચારદિનકર ગ્રંથમાં આ ગાથાને ગીતાર્થ મુનિઓએ કહેલી છે તેમ જણાવ્યું. ૦ ને મ માં સિદ્ધા – ભૂતકાળમાં જેઓ સિદ્ધ થયા છે. મવિરસંતિ HITU વાળે - ભવિષ્યકાળમાં જે સિદ્ધ થશે. સંપર્ફે ૩ વટ્ટમાણI - વર્તમાનકાળે જેઓ વિદ્યમાન છે તે. , , ગાાં
SR No.008044
Book TitlePratikramana sutra Abhinava Vivechan Part 2
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherArhant Shrut Prakashan
Publication Year2005
Total Pages322
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, & Ritual
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy