SearchBrowseAboutContactDonate
Page Preview
Page 106
Loading...
Download File
Download File
Page Text
________________ મોક્ષ માર્ગ ૨૪૯. સભ્યત્વરત્ન જેમણે ખોઈ નાખ્યું છે એવા લોકો, ઘણાં શાસ્ત્રો જાણતા હોય તોય, આરાધનારહિત હોવાથી ત્યાં ને ત્યાં (સંસારમાં ભમતા રહે છે. ર૫૦-૨૫૧. પરમાણ જેટલી પણ રાગાદિભાવ જેની અંદર વિદ્યમાન હોય એવી વ્યક્તિ ભલે સર્વ આગમોની જ્ઞાતા હોય, પણ તેણે આત્માને ઓળખ્યો નથી. આત્માને ન જાણનારો ને તેથી અનાત્માને પણ ન જાણનારો– જીવ-અજી વનો ભેદ નહિ સમજનારો એ આત્મા સમ્યગદષ્ટિ કેવી રીતે હોઈ શકે? ૨૫ ૨. જેનાથી તત્વબોધ થાય, જેનાથી મન વશ થાય, જેનાથી આત્મા શુદ્ધ થાય એને જ જિનશાસનમાં જ્ઞાન કહ્યું છે. ર૫૩. જેનાથી રાગ ક્ષીણ થાય, જેનાથી સપ્રવૃત્તિની રુચિ થાય, જેનાથી મૈત્રીભાવ વિકસે એને જ જિનશાસનમાં જ્ઞાન કહ્યું છે. ૨૫૪ જે પોતાના આત્માને કર્મોથી અબદ્ધ-અસ્પષ્ટ, અનન્ય, એકરસ અને અખંડ સ્વરૂપે અનુભવે છે તેણે સમગ્ર જિનશાસનને જાણી લીધું છે. ૨૫૫. આ અશુચિમય શરીરથી પોતાને વસ્તુસ્વરૂપે ભિન્ન અને કેવળ જ્ઞાયકરૂપ જાણે છે તે સઘળાં શાસ્ત્રોને જાણે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.008025
Book TitleSaman suttam Jain Dharmasara
Original Sutra AuthorN/A
AuthorBhuvanchandra
PublisherJain Sahitya Academy
Publication Year1995
Total Pages281
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, & Principle
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy