________________
૩૨
મંગલસ્વરૂપ, ચાર શરણ રૂપ તથા કેરમ, પરમ આરાધ્ય અને નર-સુર-વિદ્યાધરો દ્વારા પ1િ, કર્મશત્રુઓના વિજેતા પાંચ ગુરુઓ (પરમેષ્ઠ)નું ધ્યાન ધરવું જોઈએ. સઘન ઘાતી-કર્મોનો નાશ કરનાર, ત્રણેય લોકમાં વિદ્યમાન, ભવ્ય-જીવ-રૂપી કમળાનો વિકાસ કરનાર સૂર્ય, અનંત જ્ઞાની અને અનુપમ સુખમય અહં તેને જગતમાં જય હો. આઠ કર્મોથી રહિત, કૃતકૃત્ય, જન્મ-મૃત્યુના ચક્રથી મુક્ત તથા સકળ તત્ત્વ રહસ્યના દ્રષ્ટા સિદ્ધ મને સિદ્ધિ પ્રદાન કરે. પાંચ મહાવ્રતને લીધે સમુન્નત, તત્કાલીન સ્વ-સમય અને પર-સમય-રૂપ શ્રુતના જ્ઞાતા તથા વિવિધ ગુણસમૂહથી પરિપૂર્ણ આચાર્ય મારા ઉપર પ્રસન્ન છે. જેની પેલે પાર જવું કઠણ છે એવા અજ્ઞાન રૂપી ઘેર અંધકારમાં ભટકનાર ભવ્ય જીને જ્ઞાનનો પ્રકાશ આપનર ઉપાધ્યાય અને ઉત્તમ ગતિ આપે. શીલરૂપી માળાને સ્થિરતાથી ધારણ કરનાર, રાગ રહિત, યશ-સમૂહથી ભરપૂર અને પ્રવર વિનય વડે અલંકૃત શરીરવાળા સાધુ મને સુખ આપે. અહંત, અશરીરી (સિદ્ધ), આચાર્ય, ઉપાધ્યાય અને સુનિ– આ પાંચના પથમ પાંચ અક્ષરે (અ+અ+આ+ઉમ) ને મેળવવાથી ( કાર )
૧૦.
૧૨.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org