________________
૨૯
નક મોક્ષને માર્ગ બહાર નથી, પણ આત્મામાં છે, માટે
આત્માને જે, આત્મા સાંભળ, બેલ, વિચાર, નિદિધ્યાસ –ભાવ, અનુભવ, આવું વેદમાં જણાવેલ છે. આત્મામાં રહેવું, આત્માથે ક્રિયા કરવી, આત્મામાં સમાઈ જવું. જ અહો ! આભા સ્વાત્મા અતીત મન કાયા વચનથી, સ્મરૂં, ભાવું, ધ્યાવું, અનુભવું, સદા લીન મનથી,
અનુભવું, સમાધિસ્થ મનથી. આત્મા નિશ્ચયના આધારે છે, દેહ પ્રારબ્ધના આધારે છે, સંસાર સંકલ્પના આધારે છે, મેક્ષ ક્ષમા-સમભાવના
આધારે છે. નક ટેકનીકલ–૧) ક્રિયા એ કર્મ, (૨) “ઉપયોગ એ ધર્મ, (૩) પરિણામ એ બંધ, (૪) ભ્રમ એ મિથ્યાત્વ, (૫)
બ્રહ્મ તે આત્મા, અને (૬) “શંકા એ જ શલ્ય છે. 2 “તપ” શું છે, શા માટે છે, કેટલા પ્રકારના છે તે વિચારે.
સર્વોત્તમ તપ કયું છે? ઉપવાસ કરો તેની વાત બહાર ન કરે. તપ વગેરે આત્માના અથે કરવાના છે, લોકોને દેખાડવા અર્થે કરવાના નથી. “કષાય” (કોધ, માન, માયા, લાભ) ઘટે તેને તપ કહ્યાં છે. અંદરથી “અંત:કરણ શુદ્ધ થાય ત્યારે તપ કહેવાય. * કુગુરુ અને અજ્ઞાન પાંખડીઓનો આ કાળમાં પાર નથી. (પ્રભુના વખતમાં પણ ૩૬૩ પાંખડીયેા હતા, હાં. વિચારી જાવ) મોટા વરઘોડા ચઢાવે ને (કાળાં) નાણું ખરચે . એમ જાણીને કે મારું કલ્યાણ થશે, અરેરે ! જીવનું કેટલું અજ્ઞાન.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org