________________
અષ્ટાવક્ર ગીતા.
રહે છે, તે અજ્ઞાન રહિત પુરુષ જ્ઞાનવડે આ દુસ્તર એવા ભવસાગરને તરી જઈ મોક્ષ પામે છે.
कायकृत्यासरः पूर्व ततोवाग्विस्तरासहः ।
ગય પારફતરમાવવામાસ્થિતઃ II સર્વ કર્મને ત્યાગ.
અર્થ. પ્રથમ કાયને લગતાં, પછી વાણીને લગતાં અને છેલ્લે મનને લગતાં કાર્યો કર્યા અને હવે હું સર્વ કર્મો કરી રહી સ્વસ્થ થયો છું.
ટીકા. કાયા–શરીરને લગતાં કર્મ તે વ્રતયાગ યજ્ઞ વગેરે; વાણુનાં કર્મ તે સ્તુતિ નિંદા વગેરે; અને ચિત્તનાં કર્મ તે જપતપાદિક. આ સર્વ કર્મોથી હવે હું પરવારી બેઠો છું.
प्रीत्यभावेन शद्धादेरदृश्यत्वेन चात्मनः । विक्षेपैकाग्र हृदय एवमेवाहमास्थितः ॥ १० ॥
અર્થ. શબ્દાદિમાં પ્રીતિના અભાવથી, આત્મામાં અદર્શનના અને એકાગ્રતામાં હૃદયવિક્ષેપથી કંટાળી હવે હું મારા પિતામાંજ સ્થિતિ કરી રહ્યો છું.
ટોકા. કાયિક, વાચિક અને માનસિક ત્રણે જાતનાં કર્મો પ્રયતામાં વિક્ષેપરૂપ જણાયાથી હું તે સર્વ કર્મોને ત્યાગ કરી હવે કેવળ આત્મસ્વરૂપ થઈ બેઠા છું. કાયિક કર્મો કરવાથી શરીરને અસુખ થઈ બ્રહ્મજ્ઞાન સધાતું નથી, વાણીનાં રતુતિ ર્નિદારૂપ કર્મો કરવાથી પણ ઉગ થઈ ચિત્ત હર્ષ ભાદિક વિકારે કરી કાર્ય સધાતું નથી, અને માનસિક કર્મ કરતાં પણ ધ્યાન વિક્ષેપ થાય છે એટલે હવે તે મેં સર્વ કર્મોનો ત્યાગ કર્યો છે ને બ્રહ્મમાંજ ચિત્ત જેવું છે.